________________
ધ્યાનદીપિકા
[ ૩૬૫ ]
—
આત્મવિચાર સિવાય કાંઈ પણ કાર્ય કે વિચાર માટે અંતઃકરણમાં જગ્યા રાખવી જ નહિ. અહેનિશ તેનું શ્રવણ-મનન અને તેને આકારે પરિણમવા જ પ્રયત્ન ચાલુ રાખવા બીજા બધાં કાર્યને હાલ તુરત આત્મબળપ્રાપ્તિ થાય ત્યાં સુધી મુલતવી રાખવાં. છતાં જરૂરી પ્રસંગે તેમ કરવું પડે તે મનને તેમાં જોઈએ તેવું પરોવવું જ નહિ. તેમાં તે પર માત્માને જ બિરાજમાન કરી રાખવાનું બાકી વચન અને શરીર વડે જ કાર્ય કરવું. તેમાં પણ આસક્તિ રાખ્યા સિવાય પ્રવૃત્તિ કરવી. કર્યા સિવાય ચાલે તેમ નથી એટલે કરવું જોઈએ તેટલા ખાતર જ કરવું, પણ આસક્તિ રાખી ન કરવું. આમ કરવાથી ચાલુ કાર્ય જલદી સિદ્ધ થશે.
| ધર્મધ્યાનને ઉપસંહાર एवं चतुर्विधध्यानामृतमनं मुनेर्मनः । साक्षात्कृतजगत्तत्वं विधत्ते शुद्धिमात्मनः ॥१७९।।
આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાન રૂપ અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન, જગતના તત્વને સાક્ષાત્કાર કરીને આત્માની શુદ્ધિ કરે છે.
ભાવાર્થ-પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત એમ આ ચાર પ્રકારના ધ્યાનમાં ધ્યાનરૂપ અમૃતમાં મુનિઓએ મનને મક્સ કરી દેવું, અથવા આસક્ત કરી દેવું–લય પમાડી દેવું. તેનું પરિણામ એ આવશે કે જગતમાં તત્વ શું છે? પ્રાપ્ત કરવા લાયક કે સારભૂત કઈ વસ્તુ છે? તેને નિશ્ચય આ ધ્યાનમાં મગ્ન થયેલું મન કરી આપશે. નિર્મળ થયેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org