________________
[ ૮૮ ]
ધ્યાનદીપિકા
છે. કમને નવીન બળ આપે છે. તેથી જીવનચક સદા ગતિમાન રહ્યા કરે છે, પરિભ્રમણ ચાલુ રહે છે.
આ ભાવનામાં ધ્યાન પર લાવવા જેવી બીજી નવીનતા એ છે કે પૂર્વકમને અનુભવ કરતાં નવીન કર્મ ન બંધાય તે માટે પૂર્ણ સાવચેતી રાખવી. આ બાબત ઘણી જ મનન કરવા જેવી છે. એને માટે જેટલે પુરુષાર્થ કરવો ઘટે તેટલે કરે ગ્ય છે. પુરુષાર્થને અવકાશ પણ આ વાત માટે જ છે. બાકી તો પૂર્વનું કર્મ ચાલ્યું આવે છે. તે તે તમે હા કહે કે ના કહે. તમારી ઈચ્છા હોય કે ન હોય તમે રાજી થાઓ કે ન થાઓ પણ તે કર્મ તે આવવાનું જ અને તમારે ભેગવવું પડવાનું છે. તે માટે પુરુષાર્થ કરવાની જરા જેટલી પણ જરૂર નથી.
પુરુષાર્થની જરૂરિયાત છે તે બતાવે છે. स्वयं पाक उपायाच्च फलानां स्याद्यथा तरोः । तथात्र कर्मणां पाक स्वयं चोपायतो भवेत् ॥३६॥ विशुध्यति यथा स्वर्ण सदोषमपि वह्निना । तद्वच्छुध्यति जीवोऽयं तप्यमानस्तपोग्निना ॥ ३७॥
જેમ વૃક્ષ ઉપર ફળોને પાક સ્વાભાવિક થાય છે, તેમ ઉપાયથી પણ થાય છે. તેમ અહીં કમને પાક (ઉદય) પિતાની મેળે થાય છે તેમ ઉપાયથી પણ થાય છે. મેલવાળું સોનું જેમ અગ્નિ વડે વિશુદ્ધ થાય છે તેમ તપરૂપ અગ્નિ વડે તપતો આ જીવ શુદ્ધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org