________________
ધ્યાન દીપિકા
[ ૧૨૧ ]
મન સ્વચ્છ અને સ્થિર હોય ત્યારે જ તે ધ્યાનમાં ઉપયોગી છે. પરમ વૈરાગ્ય વિના મન સ્વચ્છ-નિર્મળ કે સ્થિર થતું નથી. ગૃહસ્થાશ્રમમાં પ્રાયઃ શબ્દ મુકાયેલ છે. કદાચ કોઈ વિરલ જીવ ગૃહસ્થાશ્રમમાં પણ પરમ વૈરાગ્યવાન હોઈ પણ શકે. તથાપિ તે રાજમાર્ગ નથી, એટલે એમ બતાવ્યું છે કે ધ્યાનના મુખ્ય અધિકારી ગૃહસ્થ નથી. તે જ વાત વિસ્તારથી કહે છે.
खरस्यापि हि किं शृङ्गं खपुष्पमथवा भवेत् । तथांगनादिसक्तानां नराणां क्य स्थिरं मन: ॥५७।। ગધેડાને પણ શું શિંગડું હોય? અથવા આકાશને પુષ્પ થાય ખરા કે ? (તે બનવું અસંભવિત છે) તેમ સ્ત્રી આદિમાં આસક્ત થયેલા મનુષ્યનું મન ક્યાંથી સ્થિર હોય?
પાખંડીઓને ધ્યાન હોય ખરાં કે? तथा पाखंडीमुख्यानां नास्तिकानां कुचक्षुषाम् । तेषां ध्यानं न शुद्धं यद्धस्तुतत्त्वाज्ञता यतः ॥५८।। તેમ જ પાખંડીઓમાં મુખ્ય નાસ્તિકે-કુદષ્ટિવાળાઓને શુદ્ધ ધ્યાન ન હોય કારણ કે તેઓને વસ્તુતત્ત્વનું અજ્ઞાન છે.
ભાવાર્થ:-પાખંડી શબ્દ સામાન્ય પ્રકારે ત્યાગમાર્ગના વેશ ધારણ કરવાવાળાને કહે છે. અહીં તે સામાન્ય અર્થ ન લેતાં પાખંડી આદિક જેઓ નાસ્તિકોમાં મુખ્ય છે, ધર્માધમની વ્યવસ્થાને માનનાર નથી. અથવા નિશ્ચય, વ્યવહાર વ્યવસ્થા કર્યા સિવાય અપેક્ષા રાખ્યા સિવાય-આત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org