SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા ચાલ્યું જાય કે આવી મળે તે પણ તેથી હર્ષશોક બિલકુલ ન થાય એવી સ્થિતિ મેળવ. જે પદાર્થો તારા નથી જે તું નથી તેના જવા-આવવાથી તને હર્ષ, શોક શા માટે થે જોઈએ? ન થવું જોઈએ અને તે જ તારું કર્તવ્ય છે. આ ભાવનાનો ઉદ્દેશ પણ તે જ છે કે પુગલ-જડપદાર્થથી વ્યાવૃત્ત થઈ આત્મસ્વરૂપ અનુભવવું અને દેહ અને આત્મા વચ્ચે ઐક્ય નથી, પરંતુ ભિન્નતા છે. ૨૫-૨૬. અશુચિ ભાવના ૬ शुक्रादिबीजं निंद्यमनेकाशुचिसंभृतम् । मलिन निसर्गनिःसारं लज्जागारं त्विदं वपुः ॥२७॥ વર્યાદિ બીજવાળું, નિંદનીય, અનેક અશુચિથી ભરેલું, મલિન, સ્વભાવથી સાર વિનાનું અને લજજાના ગૃહ સમાન આ શરીર છે. ૨૭. ભાવાર્થ:–આત્માથી શરીરને જુદું જાણ્યા છતાં પણ તેના ઉપર નેહ બન્યો રહે છે. પોતાના દેહ ઉપર કે સામાન્ય રીતે સર્વ દેહધારી જીના દેહ ઉપર મેહ-મમત્વ ન થાય એટલો જ આ અશુચિ ભાવના કહેવાને ઉદ્દેશ છે. આ દેહનું મૂળ શું છે તે મનુષ્યથી ભાગ્યે જ અજાણ્યું હોય છે. શુક્ર (વીર્ય) અને શેણિત (સ્ત્રીનું રજ) આ બનેની મિલાવટથી આ દેહની ઉત્પત્તિ છે તે જ બીજ છે. જમીનમાં બીજ વાવ્યા પછી તેને વાયુ, અવિન, પાણી વિગેરેની મદદથી જમીનમાં જુદી જુદી જાતની જુદે જુદે વખતે રાસા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy