SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૪ ] ધ્યાનદીપિકા વસ્તુઓ તે આત્માથી સર્વથા ભિન્ન હોય તે સ્વાભાવિક રીતે જ સમજી શકાય તેમ છે. જેમ દરેક જડ વસ્તુ આત્માથી જુદી છે તેમ જિનેશ્વર ભગવાનના અભિપ્રાય પ્રમાણે દરેક આત્માઓ પણ પરસ્પર ભિન્ન છે પછી તે ગમે તે દેહ ધરાવતો હોય કે દેહરહિત સિદ્ધ સ્વરૂપ હોય છતાં પણ પરસ્પર ભિન્ન સ્વરૂપ તે ધરાવે છે. આત્મસત્તા સર્વની સરખી ગણવામાં આવે છે. ગમે તેવા દેહમાં આત્માએ સ્થાન લીધેલું હોય છતાં સત્તા સ્વરૂપે સર્વ સરખા છે. કર્મની પ્રકૃતિના સ્વભાવને લઈને કે અધિક ઓછાશને લીધે વિચિત્રતા દેહધારી આત્માઓમાં દેખાય છે છતાં શુદ્ધ સ્વરૂપમાં સરખાપણું છે. તેમ જ દેહાતીત શુદ્ધ સ્વરૂપ સિદ્ધાત્માઓ સર્વ આત્મશક્તિમાં, સ્વરૂપમાં જ્ઞાનમાં, આત્માનંદમાં પરસ્પર સર્વ સરખા છે તેમાં કાંઈ ફેરફાર નથી. અહીં દષ્ટાંતથી સમજાવવામાં આવે છે કે એક ગૃહમાં એક જાતના સરખા પ્રકાશવાળા દશ દીવાઓ હોય તે સર્વની પ્રકાશશક્તિ એકસરખી છે છતાં દરેક દવાઓ જુદા છે. હે અંગી! દેહધારી આત્મા! તારા પિતાના આત્માથી બાકી બધા સર્વ પદાર્થ જુદા છે, તેને હું વિચાર કર બધાથી તારા આત્માને વ્યાવૃત્ત (અલગ) કર. અલગ અનુભવેલ દશ્ય પદાર્થ તે આત્મા નહિ, આ પણ હું નહિ, આ પણ હું નહિ આ પણ હું નહિ એમ કરતા કરતાં ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર, દેહ, વાણી, મન વિગેરેને બાદ કરતાં કરતાં છેવટે જે કાંઈ રહે તે તું છે, તે જ આત્મસ્વરૂપ છે એમ નિશ્ચય કર અને તેવા દશ્ય પુગલિક સંગોને વિયોગ થાય, ઈષ્ટ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy