________________
[ ૭૩ ]
ધ્યાનદીપિકા
સુંદર શરીર મેળવે છે, બેલવાની અને વિચાર કરવાની શક્તિ ધરાવે છે, સારી લાજ, આબરૂ કે કીર્તિ મેળવે છે, દેવ મનુષ્યની ગતિ પામે છે, સારા કુળમાં જન્મ પામે છે, આયુષ્ય પૂર્ણ પામે છે દેહ નિરંતર નિરોગી રહે છે. રાજ્યાદિ વૈભવ પામે છે, ઈંદ્રાદિકની પદવી પામે છે તેવા કર્મને શુભ કર્મ કહેવામાં આવે છે. શુભનું બીજું નામ પુણ્ય પણ છે.
જે કર્મોના ઉદયથી જીવે અનિષ્ટ વસ્તુ પામે છે, ઈચ્છા છતાં ઈષ્ટ વસ્તુ મળતી નથી, કુરૂપ કે કદરૂપા શરીર મળે છે, બોલવાની કે વિચારવાની શક્તિ હોતી નથી, દુનિયામાં જ્યાં જાય ત્યાં અપકીર્તિ પામે છે, પાંચ ઇદ્રિ પૂર્ણ હેતી નથી, હલકી ગતિમાં કે હલકા કુળમાં જન્મ લેવો પડે છે, આયુષ્ય ઘણાં ટુંકા હોય છે, શરીર રોગથી ભરપૂર હોય છે. ભિક્ષા માગતાં પણ પેટ ભરાતું નથી અથવા ઘણી મહેનતે પેટનું પૂરું કરે છે. ટૂંકમાં કહીએ તે ઈષ્ટ મળતું નથી અને અનિચ્છાએ પણ અનિષ્ટ આવીને ઊભું રહે છે, તે સર્વ કર્મને અશુભ કર્મ કહેવામાં આવે છે જેનું બીજું નામ પાપ પણ છે.
આ પાપ-પુણ્યને આવવાની ક્રિયામાં મન, વચન, શરીર પણ એક પ્રકારનો વિશેષ ભાગ ભજવે છે. તે મનાદિથી થતી ક્રિયાને યોગ કહેવામાં આવે છે. તે દ્વારા આવતાં કર્મને આશ્રવ કહેવામાં આવે છે.
આશ્રવ એટલે ચારે બાજુથી આવવું. આ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આવવું થાય છે. “આવવું” એ સામાન્ય અર્થ છે. શુભ અને અશુભ એ તેના વિશેષ વિભાગે છે. શાથી આશ્રવ આવે છે? મન, વચન અને શરીરની કિયાથી મનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org