________________
૨૪૦
બહત ક્ષેત્ર સમાસ હવે હેમવતાદિ ક્ષેત્રમાં રહેલા વૃત્ત વતાયનું સ્વરૂપ કહે છે. हेमवए रन्नवए, हरिवासे रम्मए य रयणमया।
चत्तारि वट्टवेयड्ढ-पव्वया पल्लयसरिच्छा॥१७३॥ છાયા–હૈમવતે થવસે વિર્ષે ર ર રનમઃ |
चत्वारः वृत्तवैताढ्यपर्वताः पल्यकसदृशाः ॥१७३॥
અથ–હૈમવંત, હૈરણ્યવંત, હરિવર્ષ અને રમ્યફ ક્ષેત્રમાં પ્યાલાના આકારવાળા રત્નમય ચાર ગોળ વૈતાઢય પર્વત છે.
વિવેચન–જબૂદ્વીપમાં ૪ ગોળ વૈતાઢ્ય પર્વત છે. તે “વૃત્ત વૈતાઢ્ય સામાન્ય નામથી પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે –
એક વૃત્ત વૈતાઢય પર્વત હૈમવંત ક્ષેત્રના મધ્ય ભાગમાં છે. બીજે છ , હરણ્યવત ક્ષેત્રના 9 ) by ત્રીજે 5 9 હરિવર્ષ ક્ષેત્રના 9 - 9 ચથી 9 ) , રમ્ય ક્ષેત્રના ,, ,, ,,
આ ચારેય વૃત્ત વૈતાઢય પર્વતે યાલોને આકારવાળા સર્વરત્નમય છે. પ્યાલો એટલે વાંસને છોલીને ગુંઠીને બનાવેલા ધાન્ય ભરવા માટેનું સાધન. જે ગોળાકાર અને એક સરખુ ઉંચું હોય છે.
પ્રશ્ન–ક્યા કારણથી આ “વૃત્ત વૈતાઢ્ય આ પ્રમાણે પ્રસિદ્ધ છે ?
સમાધાન–અહીં વિતાઢય પર્વતની આ પ્રમાણે નિરૂક્તિકાર વ્યુત્પતિ કરે છે. પિતાના આવાસ ક્ષેત્રને બે અડધા ભાગ કરે છે માટે તાય.
આ ચારે વૃત્ત વૈતાઢય પર્વતે પોતાના ક્ષેત્રના–હેમવતાદિ ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં હોવાથી ક્ષેત્રના બે બે અડધા ભાગ કરે છે. તેથી વૃત્ત વૈતાઢય કહેવાય છે. આ ચારે વૃત્ત વૈતાઢય પર્વતે ગોળાકાર છે, પણ ભરતક્ષેત્ર–ઐરવતક્ષેત્ર અને વિજેમાં રહેલા વૈતાઢય પર્વતની જેમ પૂર્વ–પશ્ચિમ લાંબા નથી. માટે આ ચાર ક્ષેત્રમાં આવેલા વૈતાઢય પર્વત વૃત્ત વૈતાઢય પર્વતના નામે ઓળખાય છે.
આ વૃત્ત વૈતાઢય પર્વત સર્વરત્નમય કહેલા છે. જ્યારે કેટલાક રજતમય કહે. છે. તેઓને જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સાથે વિરોધ આવે છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આ પર્વતને સર્વરત્નમય કહેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org