________________
૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વૈશ્વાનર વડે વિચારાયું અને મારો પરિશ્રમ સફલ છે જે કારણથી આ=નંદિવર્ધન, મને વશવર્તી વર્તે છે. આ રીતે બોલતા આવા વડે=પૂર્વમાં કહ્યું એ રીતે બોલતા નંદિવર્ધન વડે, અત્યંત અનુરાગ બતાવાય છે=મારા પ્રત્યે અત્યંત અનુરાગ બતાવાય છે, અને અનુરક્ત પ્રાણીઓ વચનને સાંભળે છે=રાગી પાત્ર જે કંઈ કહે તે સર્વ સાંભળે છે. નિર્વિકલ્પ ગ્રહણ કરે છે=ઉચિત અનુચિતનો વિચાર કર્યા વગર રાગી પાત્ર જે કંઈ કહે તેનો સ્વીકાર કરે છે. ત્યાં=રાગીપાત્ર દ્વારા કહેવાયેલા વચનમાં, ભાવથી પ્રવર્તે છે અંતઃકરણના પરિણામથી તે પ્રમાણે યત્ન કરે છે. ક્રિયાથી સંપાદન કરે છે–રાગીપાત્રનું વચન આચરણાથી સફળ કરે છે.
वैश्वानरदत्तक्रूरचित्ताभिधानवटकानि तदिदमत्र प्राप्तकालमिति विचिन्त्य तेनाभिहितं-कुमार! एवमेतत्, कः खल्वत्र सन्देहः? यच्च गृहीतहृदयसद्भावानामपि मादृशां पुरतः कुमारोऽप्येवं मन्त्रयति महाप्रसादोऽत्र कारणं, स हि हर्षोत्कर्षात् ज्ञातार्थमपि वाक्यं बलाद् भाणयति, तत्किमनेन? करोमि कुमारस्याहमक्षयान् प्राणान्, एष एव मे तन्नियोगः । मयाऽभिहितं-कथम्? तेनोक्तं-जानाम्यहं किञ्चिद् रसायनम्, मयाऽभिहितंकरोतु वरवयस्यः, तेनोक्तं-यदाज्ञापयति कुमारः । ततः कृतानि तेन क्रूरचित्ताभिधानानि वटकानि, समुपनीतानि मे रहसि वर्त्तमानस्य, अभिहितश्चाहं-कुमार! एतानि मदीयसामर्थ्यप्रभवानि वर्त्तन्ते वटकानि, कुर्वन्त्युपयुज्यमानानि वीर्योत्कर्षसंपादनेन पुरुषस्य सर्वं यथेष्टं दीर्घतरं चायुष्कं, तस्माद् गृहाण त्वमेतानि, अत्रान्तरे लघुध्वनिना कक्षान्तरस्थितेन केनाप्यभिहितम्-भविष्यति तवाभिमते स्थाने, कोऽत्र सन्देहः? न श्रुतं तन्मया, श्रुतं वैश्वानरेण, ततः संपत्स्यते मम समीहितं, यास्यत्येष वटकोपयोगेन महानरके, भविष्यति तत्र गतस्यास्य दीर्घतरमायुष्कं, कथमन्यथैवंविधः शब्दः? महानरक एव ममाभिहितं स्थानमितिभावनया तुष्टोऽसौ चित्तेन । मयाऽभिहितं-किं न संपद्यते मे भवादृशि वरमित्रेऽनुकूले? तदाकर्ण्य द्विगुणतरं परितुष्टोऽसौ, समर्पितानि वटकानि, गृहीतानि मया, अभिहितं च तेन-कुमार! अयमपरो मम प्रसादो विधेयः कुमारेण, यदुत-मयाऽवसरे संज्ञितेन निर्विकल्पमेतेषां मध्यादेकं वटकं भक्षयितव्यं कुमारेणेति, मयाऽभिहितं-किमत्र प्रार्थनया? निवेदित एवायमात्मा वरमित्रस्य । वैश्वानरेणाभिहितम्-महाप्रसादोऽनुगृहीतोऽहं कुमारेणेति ।
સંસારીજીવ નંદિવર્ધનને વૈશ્વાનર વડે અપાયેલ કૂરચિત નામના વડાં તે કારણથી=વૈશ્વાનર વિચારે છે કે નંદિવર્ધન મને વશવર્તી છે તે કારણથી, અહીં=નંદિવર્ધનના વિષયમાં, આ પ્રાપ્ત કાલ છે આ કૃત્ય કરવાને અનુકુલ આ કાલ પાક્યો છે, એ પ્રમાણે વિચારીને તેના વડે=વૈશ્વાનર વડે, કહેવાયું, હે કુમાર ! આ એમ જ છે=તને મારા પ્રત્યે સ્થિર વિશ્ર્વાસ છે એ એમ જ છે, આમાં તારા મારા પ્રત્યે પ્રેમના વિષયમાં, સંદેહ ક્યાં છે ? અર્થાત્ સંદેહ નથી. અને