________________
૧૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૩-૩૯૪ નહિ હોવાથી ગુણનિષ્પત્તિનું કારણ બનતું નથી, તેથી તે ધર્મ નથી. તેથી ધર્મના અર્થીએ પોતાની શક્તિનું સમ્યગ્ આલોચન કરીને જે અનુષ્ઠાનથી પોતાની ગુપ્તિનો અતિશય થાય તેને સામે રાખીને યત્ન કરવો જોઈએ, પરંતુ આત્માને ઠગવો જોઈએ નહિ, બીજાને ઠગવા પ્રયત્ન કરવો જોઈએ નહિ અને લોકોની અનુવૃત્તિથી પણ ધર્મ કરવો જોઈએ નહિ, પરંતુ સ્પષ્ટ પ્રગટ, અકુટિલ એવું ધર્મનું વચન મોક્ષ પ્રત્યે કારણ છે, તેથી જે બાહ્ય કૃત્યથી કષાયોના તિરોધાનને અનુકૂળ સમ્યગ્ યત્ન થાય તેવો જ ધર્મ મોક્ષ પ્રત્યે કારણ છે. તેથી આય-વ્યયની તુલના કરીને જેનાથી અધિક નિર્જરા થાય તેવી આચરણા કરવી જોઈએ, પરંતુ આ જ અનુષ્ઠાન થાય, આ અનુષ્ઠાન ન થાય તેવો નિયત આગ્રહ રાખવો જોઈએ નહિ. II૩૯૩
ગાથા:
न वि धम्मस्स भडक्का, उक्कोडा वंचणा य कवडं वा । निच्छम्मो किर धम्मो, सदेवमणुयासुरे लोए ।।३९४।।
ગાથાર્થ :
ભડક્કા, ઉત્કોચા, વંચના અથવા કપટ ધર્મના સાધન નથી, દેવ-મનુષ્ય-અસુર સહિત એવા લોકમાં ખરેખર નિચ્છદ્મ ધર્મ છે. II3૯૪]]
ટીકાઃ
नाऽपि न सम्भाव्यते धर्मस्य 'भडक्का' बृहदासनादिबाह्याटोपरूपा साधनमिति शेषः । 'उक्कोड 'त्ति उत्कोचा, यदि मह्यमेतद्देहि ततोऽहं करोमि इत्यादिलक्षणा, वञ्चना सैव तत्त्वदर्शनवद् विप्रतारणा, कपटं वा पूर्वोक्तं, धर्मस्य न साधनमिति वर्त्तते, एकार्थकानि चैतानि, यद्येवं पूर्वगाथया गतार्थत्वात् किं पुनरभिहितानीति चेन्मायया सह धर्मस्यात्यन्तविरोधं दर्शयितुम्, 'सुद्धस्स होइ चरणं, मायासहिए उ चरणभेओ'त्ति वचनात् । अत एवाह - निच्छद्या निर्माय: किलेत्याप्ता ब्रुवते धर्मः, सह देवमनुजासुरैर्वर्त्तत इति सदेवमनुजासुरस्तस्मिन् लोके, इहासुरा भवनपतयस्तद्वर्जा देवा કૃતિ ।।૧૪।।
ટીકાર્ય ઃનાપિ ન ...... લેવા કૃતિ ।। ભડક્કા ધર્મનાં સાધન સંભવતાં નથી=મોટું આસન વગેરે બાહ્ય આડંબર રૂપ ભડક્કા લોકોને ધર્મ પમાડશે એવી બુદ્ધિથી કોઈ ધારણ કરે તે ધર્મનાં સાધનરૂપે સંભવતાં નથી, ઉત્કોચા ધર્મનાં સાધન સંભવતાં નથી=જો તમે મને આ આપો તો હું આ કરું ઇત્યાદિરૂપ લાંચો ધર્મનું સાધન નથી, વંચના=તે જ તત્ત્વદર્શનની જેમ પ્રતારણા, ધર્મનું સાધન સંભવતી નથી અથવા કપટ પૂર્વે કહેવાયેલું ધર્મનું સાધન નથી અથવા આ એકાર્થિક શબ્દો છે= ભડક્કા-ઉત્કોચા-વંચતા-કપટ એ એક અર્થવાળા શબ્દો છે. જો આ પ્રમાણે છે તો પૂર્વની ગાથાથી