________________
an
511211 :
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮
चरणकरणपरिहीणो, जइवि तवं चरइ सुट्टु अइगरुयं । सो तिल्लं व किणतो, कंसियबुद्दो मुणेयव्वो ।। ४२८ ।।
ગાથાર્થ ઃ
ચરણ-કરણથી રહિત સાધુ જોકે અત્યંત અતિગુરુ=ઘણા મોટા, તપને આચરે છે, તે તેલને ખરીદતા કાંસિક બોદ્ર=દર્પણ પ્રધાન ગામડિયા પુરુષ, જેવો જાણવો. II૪૨૮।।
ટીકાઃ–
चरणकरणपरिहीनः संयमशून्यो यद्यपि तपश्चरति सुष्ठु अतिगुरुकं चतुर्मासक्षपणादि, स तैलमिव क्रीणन्, कंसेन निवृत्तः कांसिकः आदर्शस्तत्प्रधानो बोद्रो ग्रामेयकः, यो हि आदर्शन तिलान् दत्वा तेनैव मित्वा तैलं गृह्णाति स कांसिकबोद्रस्तद्वन्मन्तव्यः स्वल्पेन बहुहारणादिति । । ४२८ ।। ટીકાર્ય :
.....
चरणकरणपरिहीनः વહુદારનાવિતિ ।। ચરણ અને કરણથી રહિત=સંયમથી શૂન્ય, જોકે સારી રીતે અત્યંત મોટા તપને=ચાર માસક્ષપણ વગેરે તપને, કરે છે, તે–તે સાધુ, તેલને ખરીદ કરતો, કાંસાનું બનાવેલું કાંસિક=આદર્શ=દર્પણ, તે પ્રધાન છે જેને એ બોદ્ર=ગામડિયો તેના જેવો જાણવો, દિ=જે કારણથી, જે=ગામડિયો પુરુષ, આદર્શથી=દર્પણથી, તલને આપીને તેનાથી જ માપીને તેલને ગ્રહણ કરે છે તે કાંસિકબોદ્ર છે, તેના જેવો જાણવો; થોડાથી ઘણું હારી જાય છે=તપ દ્વારા અત્યંત થોડું ફ્ળ મેળવીને સંયમના મહાફ્ળને હારી જાય છે. ।।૪૨૮૫
ભાવાર્થ :
જે મહાત્માને શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ છે, તેથી સંયમની સર્વ આચરણા સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા કઈ રીતે મોહનો નાશ કરવામાં કારણ છે, તેના પરમાર્થનો બોધ છે, છતાં પ્રમાદી સ્વભાવને કારણે પોતાનામાં શક્તિ હોવા છતાં તે પ્રકારની ચારિત્રની ક્રિયા કરતા નથી, તેમનું ચારિત્ર રહિતનું જ્ઞાન નિરર્થક છે; કેમ કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શક્તિ અનુસાર હિતની પ્રવૃત્તિ થાય તેવો યત્ન કરવો જોઈએ, છતાં પ્રમાદી સ્વભાવને કારણે તેવો યત્ન કરતા નથી માટે તેમનું જ્ઞાન નિરર્થક છે. જેમ ગધેડો ચંદનના ભા૨ને વહન કરે છે, પરંતુ ચંદનના વિલેપન વગેરે સુખને પામતો નથી, તેમ તે મહાત્મા ભગવાનના વચનના ૫૨માર્થને જાણનારા હોવાથી ચંદનતુલ્ય જ્ઞાનની ધુરાને વહન કરે છે તોપણ તે જ્ઞાનનું સમ્યગ્ ફળ નિર્લેપ પરિણતિ તેને પ્રગટ કરવાને અનુકૂળ યત્ન કરતા નથી, તેથી પ્રગટ થયેલા નિર્મળ જ્ઞાનના ફળ સ્વરૂપે ઉપશમ સુખના ભાગી થતા નથી, આથી તેમનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિનું કારણ બનતું નથી.
વળી જેઓ જ્ઞાન રહિત છે તેઓ ચારિત્રની કષ્ટ આચરણા કરે છે તેઓને તો જ્ઞાન નથી અને જ્ઞાનનું