________________
૯૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૬-૪૪૭
અવતરણિકા :
तदिदं विवेकविजृम्भितमुक्तमिदानीं अविवेककार्यमाहઅવતરણિકાર્ય :
તે આeગાથા-૪૪૫માં બતાવ્યું તે આ, વિવેકનું કાર્ય કહેવાયું, હવે અવિવેકના કાર્યને કહે છે –
ગાથા :
मूलगकुदंडगादामगाणि, ओचूलघंटियाओ य ।
पिंडेइ अपरितंतो, चउप्पया नत्थि य पसू वि ॥४४६।। ગાથાર્થ :
અપરિશ્રાંત પુરુષ મૌલક, કુદંડક, દામક અને અવમૂલઘટિકા એવા પશુનાં ઉપકરણોને એકઠાં કરે છે, પણ ચતુષ્પદ પશુ નથી જ. Il૪૪૬ll ટીકા -
मूलककुदण्डका दामान्येव दामकानि अवचूलघण्टिकाश्चेति, चशब्दादेवंविधान्यन्यान्यपि चतुष्पदोचितानि उपकरणानि, किं चतुष्पदा पशुरप्यजाऽपि, नास्ति च न विद्यते एव, आसतां गोमहिष्यादयस्तथाऽपि यथा कश्चिदपरित्रान्तोऽश्रान्तः पिण्डयति एतानि मीलयत्यविवेकीति दृष्टान्तः ।।४४६।। ટીકાર્ય :
મૂના ઝાન્ત: | મોલક-કુદંડક અને બાંધવાનાં ઉપકરણો છે, દામો જ દામકા છે=ચાબુક વગેરે, અવચૂલઘંટિકા=ઊંટને બાંધવાનાં ઉપકરણો છે, જ શબ્દથી આવા પ્રકારનાં બીજાં પણ ચતુષ્પદને ઉચિત ઉપકરણો ગ્રહણ કરવાં, શું ?=આ ગ્રહણ કરે છે એનાથી શું ? ચતુષ્પદ પશુ=બકરી પણ નથી જ, ગાય-ભેંસ વગેરે દૂર રહો, જેમ કોઈક નહિ થાકેલો અવિવેકી આવે= ઉપકરણોને, ભેગાં કરે છે અર્થાત્ ભવિષ્યમાં પશુ વગેરે પ્રાપ્ત થશે ત્યારે ઉપયોગી થશે એ પ્રકારે મૂઢમતિથી એકઠાં કરે છે. એ દષ્ટાંત છે. ૪૪૬. અવતરણિકા :
दार्टान्तिकमाहઅવતરણિકાર્ચ - પૂર્વની ગાથામાં કહેલા દષ્ટાંતનો દાષ્ટાંતિક ભાવ કહે છે –