________________
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૫૦૭-૫૦૮
ગાથા :व न करेमि त्ति भणित्ता, तं चेव निसेवए पुणो पावं ।
पच्चक्खमुसावाई, मायानियडीपसंगो य ।।५०७।। ગાથાર્થ :
નહિ કરું,” એ પ્રમાણે બોલીને તે જ પાપને ફરી સેવે છે, પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટના પ્રસંગવાળો છે. II૫૦૭ll ટીકા :
न करोमीति भणित्वा तदेव स्वयं निषिद्धं निषेवते समाचरति पुनः पापं यः प्रत्यक्षमृषावादी साक्षादलीकवावदूकः पश्यतोहर इवाचिकित्स्य इत्यर्थः । तस्य मायानिकृत्योरान्तरबाह्यसाध्ययोः प्रसङ्गोऽवश्यम्भाविनी प्राप्तिः स च सम्पद्यत इति ।।५०७।। ટીકાર્ય :
રોમીતિ ... સપૂત કૃતિ | હું કરું નહિ, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વળી તે જ પાપને=પોતે નિષેધ કરેલા તે પાપને, જે સેવે છે, પ્રત્યક્ષ મૃષાવાદી=સાક્ષાત્ જૂઠું બોલનારો, પથતોહર=દેખતા ચોરી કરનારા સોનીની જેમ અચિકિત્સ્ય છે, તેને માયાવિકૃતિનો=અંતરંગ અને બાહ્ય સાધ્ય એવી માયાવિકૃતિનો, પ્રસંગ છે=અવયંભાવિની પ્રાપ્તિ છે અને તે પ્રાપ્ત થાય છે=માયા-વિકૃતિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પંપ૦૭ ભાવાર્થ :
જે સાધુ “હું ત્રિવિધથી ત્રિવિધથી પાપ નહિ કરું', એ પ્રમાણે બોલીને ફરી તે પાપને સેવે છે અર્થાત્ મન-વચન-કાયાની અગુપ્તિમાં વર્તતા હોવાથી તે સર્વ પાપોને સેવે છે, તેઓ પ્રત્યક્ષ મૃષાવાદને બોલે છે અને જેઓ પ્રતિદિન કરેમિ ભંતે સૂત્રને બોલીને “હું પાપ નહિ કરું’ એમ પોતાની પ્રતિજ્ઞાને અનુરૂપ ઉચ્ચારણ કરે છે અને હંમેશાં અગુપ્ત થઈને સર્વ પ્રવૃત્તિઓ કરે છે, તેઓ દેખતા ચોરી કરનાર સોનીની જેમ જે બોલે છે, તેનાથી વિપરીત પ્રત્યક્ષ આચરણા કરે છે માટે તેમની ચિકિત્સા થઈ શકે નહિ અર્થાત્ તેઓ અસાધ્ય રોગવાળા છે અને તેવા જીવોને પોતાના આત્માને ઠગવા સ્વરૂપ માયાનિકૃતિનો પ્રસંગ છે અર્થાત્ અંતરંગ રીતે માયાનો પરિણામ છે અને તે પ્રકારે કૃત્યવિરુદ્ધ પ્રતિજ્ઞા કરવાનો નિકૃતિનો પ્રસંગ છે. આથી કૃત્ય અન્ય પ્રકારે કરે છે અને પ્રતિજ્ઞા અન્ય પ્રકારે કરે છે, તેઓ દુરંત સંસારના પરિભ્રમણથી ભય પામ્યા વગર મહાસાહસિક પ્રવૃત્તિ કરનારા છે. આપણા અવતરણિકા :तथा चाऽसौ प्राकृतलोकादपि पापिष्ठ इत्यावेदयत्राह