________________
ન મારું રાજા
૧૮૨
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૫૦૮ અવતરણિકાર્ય :
અને તે પ્રકારે=ત્રિવિધ ત્રિવિધનું પ્રત્યાખ્યાન કરી વિપરીત સેવન કરે છે તે પ્રકારે, આ પ્રમાદી સાધુ, પ્રાકૃતલોકથી પણ=સામાન્ય લોકથી પણ પાપિષ્ઠ છે એ પ્રમાણે જણાવતાં કહે છે – ગાથા :
लोए वि जो ससगो, अलियं सहसा न भासई किंचि ।
अह दिक्खिओ वि अलियं, भासइ तो किं च दिक्खाए ।।५०८।। ગાથાર્થ :
લોકમાં પણ જે સશૂક છે કંઈક દયાળુ છે તે એકદમ કંઈ જૂઠું બોલતો નથી. હવે દીક્ષિત પણ જૂઠું બોલે છે તો દીક્ષાથી શું પ્રયોજન? કંઈ નહિ. I૫૦૮ ટીકા :
लोकेऽपि यः सशूको मनागपि पापभीरुः, अलीकमनृतं सहसा तत्क्षणान्न भाषते किञ्चिद्, असावपि विमृश्यकारित्वाद्, अथ दीक्षितोऽपि प्रव्रजितोऽपि अलीकमनृतं भाषते, ततः किं दीक्षया ? न किञ्चित्, चः पूरणार्थ इति ।।५०८।। ટીકાર્ય :
તોડપિ : પૂરપાર્થ વૃત્તિ છે. લોકમાં પણ જે સશૂક છે=થોડો પણ પાપભીરુ છે, તે અલિક= જૂઠું, સહસા=ાત્માણથી, કંઈ બોલતો નથી; કેમ કે આ પણ=પાપભીરુ લોક પણ, વિચારીને કરવાપણું હોવાથી અલિક બોલતો નથી, હવે દીક્ષિત પણ=પ્રવ્રજિત પણ, મૃષા બોલે છે, તો દીક્ષાથી શું? અર્થાત્ કોઈ પ્રયોજન નથી, ગાથામાં ઘઃ શબ્દ પૂરણ અર્થમાં છે. ll૧૦૮ ભાવાર્થ :
સંસારમાં કેટલાક જીવો સંયોગ અનુસાર મૃષાવાદ બોલતા હોય તોપણ જૂઠું બોલવું ઉચિત નથી તેમ માનતા હોય છે, તેથી થોડા પાપભીરુ છે અને જેઓ જૂઠું ન બોલાય તેવા દૃઢ સંકલ્પવાળા છે, તેઓ અત્યંત પાપભીરુ છે, તેમાં જેઓ અત્યંત પાપભીરુ નથી, પરંતુ નિષ્કારણ જૂઠું ન બોલવું તેવા પરિણામવાળા છે તેઓ કોઈ પ્રયોજન ન હોય તો સહસા જૂઠું બોલતા નથી; કેમ કે મૃષાવાદમાં પાપ છે, તેવી બુદ્ધિ હોવાથી તે જીવો વિચારીને બોલે છે અને સંયમ ગ્રહણ કર્યા પછી “કરેમિ ભંતે' સૂત્ર દ્વારા પોતે જે પ્રતિજ્ઞા કરે છે, તે પ્રતિજ્ઞા અનુસારે મારે શું કરવું જોઈએ ? તેનો વિમર્શ કર્યા વગર પ્રતિદિન તે સૂત્ર બોલે છે અને તે પ્રતિજ્ઞાથી વિપરીત યથાતથા આચરણા કરે છે, તે સાધુ દીક્ષિત હોવા છતાં નિઃશુક રીતે મૃષાવાદ બોલે છે; કેમ કે જે પ્રતિજ્ઞા કરે છે તે પ્રતિજ્ઞા કયા ભાવોને સ્પર્શે છે, તેનો વિચાર કર્યા