Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 214
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૦-૫૧૭ ૧૯૭ પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે, તેથી તેમને હૈયાની ભક્તિથી વંદન કરીને તે મહાત્મા તેમના જેવી શક્તિનો સંચય કરે છે. માત્ર બાહ્ય વંદન કરીને સંતોષ પામતા નથી. વળી તે સુસાધુ ત્રણ ગુપ્તિવાળા છે, છતાં તે સંવિગ્નપાક્ષિક દીર્ઘ પર્યાયવાળા છે, તેમ માનીને વંદન કરે તોપણ સંવિગ્નપાક્ષિક તેમના વંદનને સ્વીકારતા નથી, પરંતુ નિષેધ કરે છે અને સુસાધુની પ્રશંસા કરીને કહે છે કે તમારું જીવન ધન્ય છે કે તમે ત્રણ ગુપ્તિમાં અપ્રમાદથી યત્ન કરો છો, જ્યારે મારામાં એવું ધૃતિબળ નથી, આથી ગુણાધિક એવા તમે વંદનીય છો, હનગુણવાળો હું વંદનીય નથી. વળી સંવિગ્નપાક્ષિક સન્માર્ગનો ઉપદેશ આપે છે, તેના ઉપદેશથી ભાવિત થઈને કોઈ તેમની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થાય તોપણ યોગ્ય જીવને તે કહે છે કે આ મહાત્મા ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે માટે તેમની પાસે જ સંયમ ગ્રહણ કરવાથી હિતની પ્રાપ્તિ થશે, પરંતુ પોતાનાથી બોધ પામેલ છે, તેમ વિચારીને પોતાનો શિષ્ય કરતા નથી. પોતાનામાં પ્રમાદવશ કાંદપિકાદિ ભાવો વર્તે છે, તે મુનિભાવના બાધક છે અને સંવિગ્નપાક્ષિકને તે કાંદપિકાદિ ભાવો દોષરૂપ જણાય છે તોપણ અલ્પસત્ત્વને કારણે તેનું નિવારણ કરવા અસમર્થ છે. પ૧૬ાા અવતરણિકા - किमित्यात्मार्थं न प्रव्राजयतीत्यत्र कारणमाहઅવતરણિકાર્ય :કયા કારણથી પોતાના માટે દીક્ષા આપતા નથી ? આથી કારણને કહે છે – ગાથા : ओसनो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डइ सयं च ।।५१७ ।। ગાથાર્થ : પોતાને માટે દીક્ષા આપતો અવશa સાધુ પરને અને પોતાને હણે છે=ભાવપ્રાણની અપેક્ષાએ નાશ કરે છે, તેને શિષ્યને, દુર્ગતિમાં નાખે છે અને સ્વયં અધિકતર ડૂબે છે. આપ૧૭ના ટીકા : अवसनः शिथिलाचार आत्मार्थं स्वनिमित्तं परं शिष्यमात्मानं च हन्ति भावप्राणापेक्षया, दीक्षयन् प्रव्राजयन्, कथमित्याह-तं शिष्यं क्षिपति दुर्गतौ नरकादिकायाम्, अधिकतरं प्रागवस्थायाः समर्गलतरं 'बुड्डइत्ति निमज्जति स्वयं च भवजलधाविति ।।५१७ ।।

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258