________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૦-પ૨૧
૨૦૩
ધારણ કરનારા સંસારપથમાં છે; કેમ કે સંસારથી વિસ્તારના માર્ગના વિષયમાં વિપરીત દૃષ્ટિ હોવાથી મિથ્યાષ્ટિ છે. વળી અન્ય દર્શનમાં પણ જેઓ તત્ત્વની સન્મુખ છે, તેઓ હેતુથી સમ્યગ્દષ્ટિ છે, ફક્ત તેઓ જ્યારે કદાગ્રહ વગર તત્ત્વની વિચારણા કરે છે ત્યારે તેમનામાં સન્મુખભાવ વર્તે છે અને જ્યારે કોઈક નિમિત્તને પામીને તેમનું ચિત્ત સ્વદર્શનના એકાંતવાદના પક્ષપાતમાં વર્તે છે, ત્યારે મિથ્યાત્વને અભિમુખ છે. તેથી જે અંશથી તેઓ પણ તત્ત્વની સન્મુખ વિચારણા કરે છે, તે અંશથી તેઓ દૂરવર્તી પણ માર્ગમાં છે. આપ૨ના અવતરણિકા :
ननु च गृहिचरकादयो भवन्तु भवानुयायिनः भगवल्लिङ्गधारिणस्तु कथमित्यत्राहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – ગૃહસ્થ અને ચરક વગેરે ભવને અનુસરનારા થાઓ, ભગવાનના લિંગને ધારણ કરનારા વળી કેવી રીતે ભવને અનુસરનારા થાય ? એ પ્રકારની શંકામાં કહે છે – ગાથા :
संसारसागरमिणं, परिब्भमंतेहिं सव्वजीवेहिं ।।
गहियाणि य मुक्काणि य, अणंतसो दवलिंगाइं ।।५२१।। ગાથાર્થ :
આ સંસારસાગરમાં પરિભ્રમણ કરતા જીવો વડે અનંતવાર દ્રવ્યલિંગો ગ્રહણ કરાયાં અને મુકાયાં. પર૧પ ટીકા :
एवं मन्यते सम्यग्ज्ञानादिविकलेन, न किञ्चिल्लिङ्गमात्रेण त्राणं, यतः संसारसागरं भवोदधिमिमं साक्षादनुभूयमानं परिभ्रमद्भिः पर्यटद्भिः सर्वजीवैः समस्तप्राणिभिः, किं ? गृहीतानि चोपात्तान्येव, मुक्तानि च त्यक्तान्येव, अनन्तशोऽनन्तवारा द्रव्यलिङ्गानि रजोहरणादिरूपाण्यनादित्वात् कालस्य, सर्वभावैः संयोगधर्मकत्वाच्च प्राणिनामनन्तशस्तत्सम्बन्धो न विरुद्ध ત્તિ ભાવના સારા ટીકાર્ય :
પર્વ અને ... ભાવના આ રીતે વિચારાય છે – સમ્યજ્ઞાન વગેરેથી રહિત એવા લિંગમાત્રથી કંઈ રક્ષણ નથી, જે કારણથી આમાં=સાક્ષાત્ અનુભવાતા સંસારસાગરમાં, પરિભ્રમણ કરતા સર્વ જીવો વડે શું ? એથી કહે છે – અવંતી વખત દ્રવ્યલિંગો ગ્રહણ કરાયાં છે જ અને મુકાયાં