________________
ઉપદેશમાલા ભાગ-૩
ગાથા-૫૧૨ ૫૧૩
૧૯૧
વગેરેથી તેઓ ગૃહસ્થ ન થયા હોય અને ચારિત્રમાં પક્ષપાતપૂર્વક કંઈક યતનાથી જીવતા હોય તો તેઓ સર્વથા મોક્ષમાર્ગથી બહિર્ભૂત નથી, તેમ વ્યવહારનય સ્વીકારે છે. I૫૧૨॥
અવતરણિકા :
तदियता ग्रन्थेन यदुक्तम् - 'द्वावेव मार्गों जिनवरैरुक्तौ' इति तद् व्यवस्थापितम् । तयोरेवापिशब्दसूचितस्य च संविग्नपाक्षिकमार्गस्य स्वकार्यसाधकत्वं दर्शयन्नाह
અવતરણિકાર્થ :
તે આટલા ગ્રંથથી=ગાથા-૪૯૧થી માંડીને અત્યાર સુધી એટલા ગ્રંથથી, જે કહેવાયું=ગાથા૪૯૧માં જે કહેવાયું – ‘ભગવાન વડે બે માર્ગો જ કહેવાયા છે' તે વ્યવસ્થાપન કરાયું અર્થાત્ કઈ રીતે ભગવાને બે માર્ગ કહ્યા છે ? તેની સ્પષ્ટતા કરાઈ. હવે તે બેના જ અને અપિ શબ્દથી સૂચિત સંવિગ્નપાક્ષિક માર્ગનું=ગાથા-૪૯૧ના અંતે કહેલ પિ શબ્દથી સૂચિત એવા સંવિગ્નપાક્ષિક માર્ગનું સ્વકાર્યસાધકપણું બતાવતાં કહે છે
ગાથા:
सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावओ वि गुणकलिओ । ओसन्नचरणकरणो, सुज्झइ संविग्गपक्खरुई ।।५१३।।
ગાથાર્થ ઃ
સારા ચારિત્રવાળા યતિ શુદ્ધ થાય છે, ગુણથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, અવસન્ન ચરણ-કરણવાળા સંવિગ્નપક્ષની રુચિવાળા શુદ્ધ થાય છે. II૫૧૩||
ટીકા ઃ
शुद्ध्यत्यशेषकर्ममलकलङ्कप्रक्षालनेन निर्मलो भवति यतिः सुचरणो दृढचारित्रः, शुद्ध्यति सुश्रावकोऽपि गुणकलितः सम्यग्दर्शनाणुव्रतादिषु सुप्रतिष्ठः, अवसन्नचरणकरणः शिथिलोsपि स्वयम्, अपिशब्दोऽत्रापि सम्बध्यते, शुद्ध्यति, किम्भूतः सन्नित्याह- संविग्ना मोक्षाभिलाषिणः सुसाधवः तत्पक्षे तदनुष्ठाने रुचिरभिलाषो यस्याऽसौ संविग्नपक्षरुचिरिति, बहुशः क्रियाऽभिधानं शुद्धेर्भेददर्शनार्थं, तथाहि - यतेः साक्षाच्छुद्धिरन्यथेतरयोरिति ।।५१३ ।।
ટીકાર્ય :
શુતિ . ફતવોરિતિ ।। સુચારિત્રવાળા=દૃઢ ચારિત્રવાળા, યતિ સમગ્ર કર્મમલરૂપ કલંકના પ્રક્ષાલનથી નિર્મળ થાય છે, ગુણથી કલિત=સમ્યગ્દર્શન-અણુવ્રત વગેરેમાં સુસ્થિત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, અવસન્નચરણકરણવાળો=સ્વયં શિથિલ પણ, શુદ્ધ થાય છે, કેવા પ્રકારનો છતો