________________
૧૯૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૨
વળી વ્યવહારનયનું=બહિર્તત્વને કહેનારા વ્યવહાર નયનું, આ દર્શન છે – ચારિત્ર હણાયે છતે શેષતી=જ્ઞાન અને દર્શનની, ભજતા છે=વિકલ્પના છે; કેમ કે કાર્યના અભાવના કારણે એકાંતથી કારણના અભાવની અસિદ્ધિ છે,
કેમ અસિદ્ધિ છે ? તેમાં હેતુ કહે છે – નિધૂમ પણ અગ્નિનું દર્શન છે. I૫૧૨ાા ભાવાર્થ :
ગાથા-૫૧૧માં કહ્યું કે જો પોતે મૂળગુણ-ઉત્તરગુણનો ભાર વહન કરવા સમર્થ ન હોય તો વેષનો ત્યાગ કરવો જોઈએ, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જે મહાત્મા સાધુવેષમાં છે છતાં મૂળ-ઉત્તરગુણના ભારને વહન કરવા સમર્થ નથી તેઓ ચારિત્ર રહિત હોવા છતાં જ્ઞાન-દર્શનવાળા છે. તેથી સર્વથા નિર્ગુણ નથી. તેના સમાધાનરૂપે કહે છે –
નિશ્ચયનયની દૃષ્ટિથી ચારિત્રનો ઉપઘાત થયે છતે જ્ઞાન અને દર્શનનો પણ વધ થાય છે. તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી તો તેઓ સર્વથા મોક્ષમાર્ગમાં નથી માટે તેમણે વેષનો ત્યાગ કરીને શ્રાવકધર્મ જ સ્વીકારવો જોઈએ; કેમ કે નિશ્ચયનય માને છે કે જે જ્ઞાન-દર્શન-ચારિત્રના સાધક ન હોય તે જ્ઞાનદર્શન પારમાર્થિક નથી, આથી જ જેમને વસ્તુનો યથાર્થ બોધ છે, તેમને તે પ્રકારે જ રુચિ હોય છે અને જે પ્રકારે રુચિ હોય છે, તે પ્રકારે તે મહાત્મા શક્તિના પ્રકર્ષથી હિતમાં પ્રવૃત્તિ કરે છે અને જેમને સ્પષ્ટ બોધ છે કે પોતાનું નિરભિમ્પંગ ચિત્ત વર્તમાનમાં સુખરૂપ છે, આગામી સુખનું પણ કારણ છે, તેમને તેવા નિરભિમ્પંગ ચિત્તમાં જ રુચિ છે અને જેમને તેવા નિરભિમ્પંગ ચિત્તમાં રુચિ હોય તેઓ અવશ્ય તેમાં જ યત્ન કરે છે અને જો નિરભિમ્પંગ ચિત્તમાં યત્ન ન કરે તો તેમને યથાર્થ જ્ઞાન અને યથાર્થ રુચિ નથી, માટે સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો તે મહાત્મામાં જ્ઞાન-દર્શન પણ નથી, તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી તેણે વેષનો ત્યાગ કરીને ગૃહસ્થ વેષમાં રહીને આત્મહિત માટે યત્ન કરવો જોઈએ.
વળી, વ્યવહારનય ચારિત્રનો નાશ થવા છતાં જ્ઞાન-દર્શનની ભજન સ્વીકારે છે; કેમ કે કેટલાક જીવોને ચારિત્રનો નાશ થાય ત્યારે નિઃશુકતા હોય છે. તેનું સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પણ નાશ પામે છે, પરંતુ કેટલાક જીવોને નિરભિમ્પંગ ચિત્તમાં પ્રમાદ આપાદક કર્મો બલવાન છે, તેઓ નિરભિમ્પંગ ચિત્તને અનુકૂળ યત્ન કરી શકતા નથી. તેથી મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ ચારિત્રનો નાશ થાય છે તોપણ આત્માનું એકાંત હિત સર્વત્ર અભિવૃંગ વગરનું ચિત્ત છે તેવો યથાર્થ બોધ છે અને તેવા નિરભિન્કંગ ચિત્તની પ્રાપ્તિની ઉત્કટ ઇચ્છા છે. આથી તેવા જીવો હંમેશાં પોતાના પ્રમાદની નિંદા કરે છે, યોગ્ય જીવોને સંયમ સંપૂર્ણ અભિવંગના ત્યાગરૂપ છે અને તેના ઉપાયભૂત સર્વજ્ઞના વચનાનુસારે ઉચિત આચરણા છે તેવો જ બોધ કરાવે છે, તેવા મહાત્મામાં ચારિત્ર નહિ હોવા છતાં જ્ઞાન-દર્શન છે તેમ વ્યવહાર સ્વીકારે છે, તેથી તેવા જીવોએ પણ ગૃહસ્થ થઈને શ્રાવકધર્મ પાળવો જોઈએ, છતાં લજ્જા