________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૦-૫૧૧
૧૮૭
અને તે ઉપદેશક સંયમની સુંદર આચરણા કરવા છતાં પોતે કાગડા જેવો છે તેમ દેખાય છે ત્યારે જે ખેદ અનુભવે છે અને પાર્થસ્થાની અનુચિત પ્રવૃત્તિ જોઈને અસહિષ્ણુ બને છે, તે સર્વથી તેનો પોતાનો આત્મા અવશ્ય મલિન થાય છે, છતાં મૂઢતાથી ઉપદેશની પ્રવૃત્તિ કરે છે તેનાથી પણ પોતાને ક્લિષ્ટ કર્મની પ્રાપ્તિ થાય છે. પ૧ના અવતરણિકા -
तदयं सुस्थितस्योपदेशो दत्तो दुःस्थितेन तु यद् विधेयं तत् काक्वाऽऽहઅવતરણિકાર્ય :
તે આ=ગાથા-પ૧૦માં અપાયેલો ઉપદેશ, સુસ્થિત તપ-સંયમમાં ઉધમવાળાને અપાયો. વળી દુઃસ્થિતે જે કરવું જોઈએ તેને કાક્વા કહે છે અથપત્તિથી કહે છે – ભાવાર્થ :
જેઓ તપ-સંયમમાં ઉદ્યમવાળા છે, ફક્ત અજ્ઞાનને વશ તેમને ભ્રમ થયો છે કે સહવર્તી સાધુ અનુચિત કરતા હોય તો મારે તેનું વારણ કરવું જોઈએ, જો હું વારણ ન કરું તો મને તેની અનુમોદના વગેરે દોષો પ્રાપ્ત થાય, તેવા ભ્રમવાળા જીવોને ગાથા-૫૧૦માં ઉપદેશ આપ્યો કે ઘણા પાર્શ્વસ્થા જોઈને મધ્યસ્થ થવું જોઈએ. જો મધ્યસ્થ થવામાં નહિ આવે તો સ્વકાર્ય સાધી શકશે નહિ. હવે જે દુઃસ્થિત છે સમુદાયમાં પ્રમાદી સાધુ છે, તેણે શું કરવું જોઈએ ? તે સાક્ષાત્ શબ્દથી કહેતા નથી, પરંતુ અર્થપત્તિથી કહે છે અર્થાત્ કાક્વા ધ્વનિથી કહે છે – ગાથા :
परिचिंतिऊण निउणं, जइ नियमभरो न तीरए वोढुं ।
परचित्तरंजणेणं, न वेसमेत्तेण साहारो ।।५११।। ગાથાર્થ :
જો નિપુણ પરિચિંતવન કરીને નિયમનો ભાર વહન કરવા માટે શક્ય નથી તો બીજાના ચિતરંજનરૂપ વેષમાત્રથી રક્ષણ થતું નથી. II૫૧૧II ટીકા -
परिचिन्त्य पर्यालोच्य निपुणं सूक्ष्मबुद्ध्या यदि नियमभरो मूलोत्तरगुणरूपो न तीर्यते न शक्यते वोढुं जीवितान्तं यावनेतुं भवतेति शेषः ततः परचित्तरञ्जनेनाऽयमपि प्रव्रजित इति परेषां बुद्धिजनकेन न वेषमात्रेण रजोहरणादिना साधारस्त्राणमिति, तदयमाशयः निर्गुणस्य लिङ्गं धारयतो जनमिथ्यात्वोत्पादहेतुत्वेन गाढतरानन्तसंसारावाप्तेस्तत्त्यागः श्रेयानिति ।।५११।।