________________
૯૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૮
અવતરણિકા :
एवं तर्हि तमुन्मार्गप्रवृत्तं तीर्थकराः किं न निवारयन्तीत्याशक्याहઅવતરણિકાર્ચ -
આ રીતે તો ઉભાર્ગપ્રવૃત એવા તેને તીર્થકરો કેમ અટકાવતા નથી ? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
ગાથા :
अरहंता भगवंतो, अहियं व हियं व न वि इहं किंचि ।
वारेंति कारविंति य, चित्तूण जणं बला हत्थे ।।४४८।। ગાથાર્થ -
અહીં=લોકમાં, અરહંત ભગવંત લોકને બલાત્કારે હાથ પકડીને કંઈ હિત કરાવતા નથી અને અહિતથી અટકાવતા નથી. II૪૪૮II ટીકા :___ अशोकादिपूजामर्हन्तीत्यर्हन्तः, भगः समग्रैश्वर्यादिविद्यते येषां ते भगवन्तः, अहितमिति पञ्चम्यर्थे द्वितीया, ततश्चाहितान वारयन्ति जनमिति सम्बन्धः । तथा हितं न कारयन्ति वाशब्दादुपेक्षणीयं नोपेक्षयन्तीति अस्य द्योतनार्थो विकल्पार्थो वा, अपि सम्भावने, इह लोके किञ्चित् स्वल्पमपि, चः समुच्चये कथमित्याह-गृहीत्वा बलाद् हस्ते आक्रान्तितो राजान इवेति ।।४४८॥ ટીકાર્ય :
ગોવિપૂના ... ફરિ II અશોક વૃક્ષ વગેરે પૂજાને યોગ્ય છે તે અહંન્ત, ભગ=સમગ્ર એશ્વર્ય વગેરે, વિદ્યમાન છે જેમને તે ભગવંત, અદિતમ્ એ પંચમીના અર્થમાં દ્વિતીયા છે, તેથી અહિતથી લોકને વારતા નથી એમ સંબંધ છે અને હિતને કરાવતા નથી, બે વા શબ્દો ઉપેક્ષણીયની ઉપેક્ષા કરાવતા નથી એવું જણાવતાર છે અથવા વિકલ્પ અર્થવાળા છે, પણ શબ્દ સંભાવનમાં છે. અહીં= લોકમાં, અત્યંત થોડું પણ હિત કરાવતા નથી, અહિતથી વારતા નથી, એ શબ્દ સમુચ્ચયમાં છે, કેવી રીતે ? એથી કહે છે – બલાત્કારે હાથ પકડીને શિક્ષા કરનારા રાજાની જેમ અહિતથી વારતા નથી, હિત કરાવતા નથી. II૪૪૮ ભાવાર્થ -
અરિહંત ભગવંત વીતરાગ થયા પછી યોગ્ય જીવોને અહિતથી અટકવાનો ઉપદેશ આપે છે, હિતમાં પ્રવૃત્તિનો ઉપદેશ આપે છે અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવાનો ઉપદેશ આપે છે તોપણ સાક્ષાત્ કોઈ અહિતમાં