________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૯
૧૪૧
અવતરણિકા :
यतः सातिचारस्याऽयं दोषस्तस्मादादित एव निरतिचारेण भाव्यम् । यस्तु चिन्तयेद् द्राधीयान् मे पर्यायस्तत एवेष्टसिद्धिर्भविष्यति किं निरतिचारतया तं प्रत्याहઅવતરણિતાર્થ :
જે કારણથી સાતિચાર ચારિત્રવાળાને અર્થાત્ પ્રમત્ત સાધુને આ દોષ છે, તે કારણથી પહેલેથી જ નિરતિચાર રૂપે થવું જોઈએ. વળી જે વિચારે છે – મારો પર્યાય દીર્ઘ છે, તેનાથી જ=સાતિચાર હોવા છતાં તે દીર્ઘ પર્યાયથી જ, ઈષ્ટસિદ્ધિ થશે, નિરતિચારપણાથી શું ?=નિરતિચાર ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે, તેથી તેમાં યત્ન કરવાથી શું ? તેના પ્રત્યે તેવા પરિણામવાળા જીવ પ્રત્યે, કહે છેઃઉપદેશ આપે છે –
ગાથા :
न तहिं दिवसा पक्खा, मासा वरिसा व संगणिज्जंति ।
जे मूल उत्तरगुणा, अक्खलिया ते गणिज्जति ।।४७९।। ગાથાર્થ :
તેમાં=ઈષ્ટસિદ્ધિમાં, દિવસો, પખવાડિયાં, મહિના અથવા વર્ષા ગણાતાં નથી, અખલિત જે મૂળગુણો, ઉત્તરગુણો છે તે ગણાય છે. ll૪૭૯II ટીકા :
न तस्मिन् धर्मविचारे तस्यां चेष्टसिद्धौ दिवसा पक्षा मासा वर्षाणि वा संगण्यन्ते सम्यक् सङ्ख्यायन्ते किं तर्हि ? ये मूलोत्तरगुणा अस्खलिता निरतिचारास्ते गण्यन्ते इति, त एवेष्टप्रापका इत्यर्थः ।।४७९॥ ટીકાર્ય :
તસ્મિન્ ... તેમાં=ધર્મના વિચારમાં અથવા તે ઈષ્ટસિદ્ધિમ=ચારિત્રના પાલનથી થતી ઈષ્ટસિદ્ધિમાં, દિવસો, પખવાડિયાં, મહિલા અથવા વષ ગણાતાં નથી=સમ્યફ ગણના કરાતાં નથી, તો શું ગણાય છે ? એથી કહે છે – અખ્ખલિત=અતિચાર રહિત, જે મૂળ-ઉત્તરગુણો તે ગણાય છે–તે જ ઈષ્ટ એવી નિર્જરાને પ્રાપ્ત કરાવનારા છે. ૪૭૯ ભાવાર્થ :
જે સાધુ જે સમયમાં શમભાવના પરિણામપૂર્વક સમભાવની વૃદ્ધિને અનુરૂપ ઉચિત યતના કરે છે, તે સમયે તે સાધુમાં મૂળગુણો અને ઉત્તરગુણો અખ્ખલિત છે અને જ્યારે શમભાવના પરિણામપૂર્વક સંયમની