________________
૧૨
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૨ द्रव्यार्चनं भावार्चनापेक्षयाऽप्रधानपूजनमेव, तुशब्दावधारणे किं ? जिनपूजा माल्यादिभिर्भगवदबिम्बाभ्यर्चनं, तत्र भावार्चनाद् भ्रष्टस्तथाविधशक्तिविकलतया तत् कर्तुमशक्त इत्यर्थः, भवेज्जायेत द्रव्यार्चनोद्युक्तस्तत्परस्यस्याऽपि पुण्यानुबन्धिपुण्यहेतुतया पारम्पर्येण भावार्चनहेतुत्वादिति ॥४९२।। ટીકાર્ય -
માવાન ....માર્ચનદેતુત્વાતિ | ભાવાર્ચન ભગવાનનું તાત્વિક પૂજત છે, શું તાત્વિક પૂજન શું છે? ઉગ્રવિહારતા, ૪ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી ઉધતવિહારિતા જ ભગવાનનું તાત્વિક પૂજત છે, દ્રવ્યાર્ચત ભાવાર્ચતની અપેક્ષાએ અપ્રધાન પૂજન જ છે, તે શબ્દ અવધારણમાં છે, શું દ્રવ્યાચન શું છે? એથી કહે છે - જિનપૂજા ફૂલની માળા વગેરેથી ભગવાનના બિંબનું અભ્યર્ચત છે, ત્યાં ભાવાર્ચનથી ભ્રષ્ટ થયેલો-તેવા પ્રકારની શક્તિની ખામી હોવાને કારણે તેને= ભાવાર્ચન, કરવા માટે અશક્ત એવો જીવ દ્રવ્યથી અર્ચનમાં ઉઘુક્ત થાય તત્પર થાય; કેમ કે તેનું પણ=દ્રવ્યથી અર્ચનનું પણ, પુણ્યાનુબંધી પુણ્યનું હેતુપણું હોવાથી પરંપરાથી ભાવાર્ચનનું હેતુપણું છે. ૪૯૨ાા ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે સુશ્રમણ ધર્મ અને સુશ્રાવક ધર્મ એ રીતે બે પ્રકારનો માર્ગ છે, તેમાં ભાવાર્ચન એ સુશ્રમણ ધર્મ છે અને દ્રવ્યાચન એ સુશ્રાવક ધર્મ છે, ભાવાર્ચન શું છે, એ સ્પષ્ટ કરતાં કહે છે – જે મહાત્માઓ ત્રણ ગુપ્તિના પ્રકર્ષથી વીતરાગ થવા માટે વિતરણ કરે છે=મોક્ષમાર્ગમાં યત્ન કરે છે, તે ઉગ્રવિહારી છે અને તેમનામાં ઉગ્રવિહારતા છે, અને એ ભગવાનનું તાત્ત્વિક પૂજન છે; કેમ કે પૂજ્ય એવા ભગવાનના ગુણોનું દૃઢ અવલંબન લઈને તેમના તુલ્ય થવા માટે જે યત્ન કરે તે ભાવાર્ચન છે અને સુસાધુ પોતાની સર્વ શક્તિથી વીતરાગ તુલ્ય નિગ્રંથ થવા માટે યત્ન કરે છે. આથી જ બાહ્ય પરિગ્રહરૂપ સર્વ ગ્રંથનો ત્યાગ કરે છે અને અંતરંગ કષાય અને નોકષાયરૂપ પરિગ્રહનું ઉમૂલન થાય એ પ્રકારે ત્રણ ગુપ્તિમાં અસ્મલિત યત્ન કરે છે. આથી શમભાવનો ઉપયોગ પ્રતિક્ષણ વર્ધમાન થાય તે રીતે જેઓ સંયમની સર્વ ક્રિયાઓ કરે છે તેઓ ઉગ્રવિહારી છે અને તેઓ જ ભગવાનનું તાત્વિક પૂજન કરે છે.
વળી સુસાધુની જેમ સુશ્રાવકો ઉગ્ર વિહારતાના અત્યંત અર્થી છે; કેમ કે વિવેકી શ્રાવકો સંસાર અત્યંત નિર્ગુણ છે તેમ જાણે છે અને ભગવાનનું તાત્ત્વિક પૂજન જ સંસારના ઉચ્છેદનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી એવો સ્થિર નિર્ણય છે તોપણ ભાવાર્ચનને અનુકૂળ શક્તિનો અભાવ હોવાથી તેઓ ભાવાર્ચન કરવા સમર્થ નથી તેથી ભાવાર્ચનના પારમાર્થિક સ્વરૂપને હંમેશાં ભાવન કરે છે, અને શ્રાવકોમાં ઉગ્ર વિહારની શક્તિના અભાવથી તે ભાવોથી ભ્રષ્ટ છે, તેથી ભાવાર્ચનને અનુકૂળ શક્તિનો સંચય કરવા માટે જગતગુરુની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે છે તે વખતે જગતગુરુના ક્ષમાદિ ભાવો અને ક્ષમાદિભાવના પ્રકર્ષના ફળરૂપે કેવળજ્ઞાનની અવસ્થા અને તેના ફળરૂપે ભગવાન સિદ્ધ અવસ્થાને પામ્યા, તે સર્વનું