________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૦૨–૫૦૩
૧૭૫
સાધુ મહાવ્રતની શક્તિનો સંચય કરતા નથી, પરંતુ સ્વીકારેલા વ્રતનો અનાદર કરીને તેની પ્રાપ્તિ પણ દુર્લભ બને તેવું આચરણ કરે છે, તેથી ભવથી ભય પામેલા અને સાધુધર્મપાલન માટે અસમર્થ જીવે સાધુધર્મનો ત્યાગ કરીને શ્રાવકધર્મ સ્વીકારવો એ જ શ્રેષ્ઠતર છે. આપણા અવતરણિકા :
अन्यच्च
અવતરણિકાર્ય :
અને બીજું=શિથિલાચારી સાધુ કરતાં શ્રાવક શ્રેષ્ઠ તે વિષયમાં બીજું કહે છે – ગાથા -
सव्वं ति भाणिऊणं, विरई खलु जस्स सव्विया नत्थि ।
सो सव्वविरइवाई, चुक्कइ देसं च सव्वं च ।।५०३।। ગાથાર્થ :
સર્વ એ પ્રમાણે બોલીને “સર્વ સાવધનો ત્યાગ કરું છું” એ પ્રકારે પ્રત્યાખ્યાન કરીને, જેને સર્વવિરતિ નથી જ, તે સર્વવિરતિવાદી દેશને અને સર્વને ચૂકે છે. પ૦૩ ટીકા :
सव्वं ति उपलक्षणत्वात् सर्वं सावधं योगं प्रत्याख्यामि यावज्जीवतया त्रिविधं त्रिविधेनेत्येवं भणित्वाऽभिधाय विरतिनिवृत्तिर्यस्य सर्विका सर्वा नास्त्येव, खलुशब्दस्यावधारणार्थत्वात् स सर्वविरतिवादी 'चुक्कइ' त्ति भ्रश्यति, 'देसं च सव्वं च' त्ति देशविरतेः सर्वविरतेश्च प्रतिज्ञाऽकरणाલિતિ પારૂ ટીકાર્ય :
સä . પ્રતિજ્ઞાડ રતિ સર્વ એ ઉપલક્ષણપણું હોવાથી સર્વ સાવધ યોગનું પ્રત્યાખ્યાન કરું છું. જીવું ત્યાં સુધી ત્રિવિધ ત્રિવિધથી એ પ્રમાણે કહીને વિરતિ–પાપની નિવૃત્તિ, જેને સર્વ નથી જ, થr શબ્દનું અવધારણપણું હોવાથી તથી જ એમ કહેલ છે, તે સર્વવિરતિવાદી દેશને અને સર્વ=દેશવિરતિથી અને સર્વવિરતિથી, ચૂકે છે=ભ્રંશ પામે છે, કેમ કે પ્રતિજ્ઞાનું અકરણપણું છે. પ૦૩ ભાવાર્થ :
સંયમ ગ્રહણ કરનાર સાધુ સર્વ પાપની નિવૃત્તિ કેવા પ્રકારની બાહ્ય ઉચિત આચરણાથી થાય, કેવી ઉચિત આચરણા કેવા અધ્યવસાયને નિષ્પન્ન કરે, જેથી ચિત્ત પાપથી પરાક્ષુખ બને તેના પરમાર્થને