________________
૧૭૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૪-૫૦૫ તેને દઢ કરે છે, ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞા પ્રત્યે અનાદરના પરિણામવાળા થવાથી પોતાનામાં વર્તતા મિથ્યાત્વને દૃઢ કરે છે અને બીજા જીવોને શંકા થાય છે કે ખરેખર સર્વવિરતિ ધર્મ આવા પ્રકારનો છે, તેથી પારમાર્થિક ધર્મમાં બીજાને શંકા ઉત્પન્ન કરે છે અથવા કેટલાક જીવોને એમ થાય કે પ્રતિજ્ઞા લેવાથી ધર્મ થાય છે, તે પ્રમાણે કરાતું નથી, તેને ધર્મ કહેવાય. આવી શંકા બીજા જીવોને ઉત્પન્ન કરીને તેઓ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે; કેમ કે જેમ મિથ્યાત્વને અનુકૂળ ભાવો કરીને પોતાનો વિનાશ કરે છે, તેમ બીજાના મિથ્યાત્વની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરીને બીજાની ભાવહિંસામાં પ્રબળ નિમિત્ત બનીને મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી અલ્પ સત્ત્વને કારણે સંવિગ્નપાક્ષિક જીવો હંમેશાં પોતાની મિથ્યા પ્રવૃત્તિની આત્મસાક્ષિક નિંદા કરે છે અને તેને અલ્પ અલ્પતર કરવા યત્ન કરે છે અને બીજા યોગ્ય જીવોને પોતાની પ્રવૃત્તિથી વિપર્યાસ ન થાય તે માટે શુદ્ધ માર્ગ બતાવીને પોતાની હીનતા બતાવે છે, તેથી તેઓ બીજાના મિથ્યાત્વને વધારતા નથી અને પોતાની પણ સર્વવિરતિની રુચિને દૃઢ કરીને મિથ્યાત્વથી આત્માનું રક્ષણ કરે છે અને તે પ્રકારે જેઓ કરતા નથી અને પોતાની સર્વજ્ઞના વચનાનુસાર યથાવાદ વગરની આચરણાના બળથી પોતે સુસાધુ છે, તેવો ભ્રમ ધારણ કરે છે તેઓ મહામિથ્યાદૃષ્ટિ જ છે; કેમ કે પોતાના મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે અને અન્ય જીવોમાં મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે. II૫૦૪॥
અવતરણિકાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે યથાવાદને કરતો નથી, તેનાથી બીજો કયો મિથ્યાદૅષ્ટિ છે ? ત્યાં પ્રશ્ન થાય કે જેઓ સાધુવેષમાં છે અને વિપરીત પ્રવૃત્તિ કરે છે, તેઓ જેટલા અંશમાં તપ-ત્યાગ વગેરે પ્રવૃત્તિ કરે છે તેટલા અંશમાં સુંદર છે. એથી કહે છે
ગાથા:
आणाए च्चिय चरणं, तब्भंगे जाण किं न भग्गं ति ? | આળ ૪ અવતો, સ્સાસા ળફ સેમ ?।।૧૦।।
ગાથાર્થઃ
આજ્ઞામાં જ ચારિત્ર છે, તેના ભંગમાં શું ભંગાયેલું નથી ?=સર્વ જ ભંગાયેલું છે, એમ તું જાણ. આજ્ઞાને ઉલ્લંઘન કરતો કોના આદેશથી શેષ અનુષ્ઠાનને કરે છે ? ૫૦૫]I
ટીકા ઃ
आज्ञयैव भगवदादेशेनैव चरणं चारित्रं व्यवतिष्ठत इति शेषः, तद्भङ्गे आज्ञालोपे जानीहि अवबुध्यस्व, किं न भग्नं ? सर्वं विमर्दितमित्यर्थः, आज्ञां चातिक्रान्त उल्लङ्घ्य स्थितः कस्यादेशात् करोति शेषमनुष्ठानं ? विडम्बनारूपमेव तद्भङ्गे तदित्याकूतम् ।।५०५।।