________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૪
અવતરણિકા :
ननु च द्रव्यार्चनभावार्चनयोः किमभ्यधिकतरमित्यत्रोच्यते
અવતરણિકાર્ય :
નન્નુથી શંકા કરે છે
અપાય છે
ગાથા:
-
દ્રવ્યાર્ચત અને ભાવાર્ચતમાં અધિકતર
कंचणमणिसोवाणं, थंभसहस्सूसियं सुवण्णतलं ।
जो करिज्ज जिणहरं, तओ वि तवंसजमो अहिओ ।।४९४ ।
:
૧૬૫
છે ? એથી એમાં ઉત્તર
ગાથાર્થ ઃ
સુવર્ણ અને મણિના પગથિયાવાળું, હજારો થાંભલાથી વિશાળ સુવર્ણના તળિયાવાળું જિનભવન જે કરાવે તેનાથી પણ તપ-સંયમ અધિક છે. ૫૪૯૪]]
....
ટીકા ઃ
काञ्चनं स्वर्णं, मणयश्चन्द्रकान्ताद्यास्तत्प्रधानानि सोपानानि यस्मिंस्तत्तथा, स्तम्भसहस्रोच्छ्रितम्, अनेन विस्तीर्णतामुद्भावयति, सुवर्णप्रधानं तलं यस्य तत् तथा सर्वसौवर्णिकमित्यर्थः । यः कारयेन्निर्मापयेज्जिनगृहं भगवद्भवनं, ततोऽपि तथाविधजिनगृहकारणादपि आस्तामन्यस्मात् किं ? तपः संयमस्तपः प्रधानः संयमोऽधिकः समर्गलतरस्तत एव मोक्षावाप्तेरिति ।। ४९४ ।
ટીકાર્ય :
काञ्चनं મોક્ષાવાÒરિતિ ।। કંચન=સુવર્ણ, મણિઓ=ચંદ્રકાંત વગેરે મણિઓ, તે છે જેમાં મુખ્ય એવાં સોપાન=પગથિયાં છે જેમાં તે તેવું છે=સુવર્ણ અને મણિના પગથિયાવાળું જિનભવન છે, હજારો થાંભલાથી બનેલું છે, આના દ્વારા વિસ્તીર્ણતાને ઉદ્ભાવન કરે છે, સુવર્ણ છે મુખ્ય જેમાં એવું તળિયું છે જેને તે તેવું છે=સુવર્ણતલવાળું છે, આવું જિનગૃહ=ભગવાનનું ભવન, જે કરાવે=નિર્માણ કરે, તેનાથી પણ=તેવા જિનભવનના કરાવણથી પણ, બીજાથી=સામાન્ય જિન ગૃહથી, તો દૂર રહો, પરંતુ સુવર્ણના જિનગૃહથી પણ, તપસંયમ=તપપ્રધાન સંયમ, અધિક છે= સમર્ગલતર છે; કેમ કે તેનાથી જતપસંયમથી જ, મોક્ષની પ્રાપ્તિ છે. ।।૪૯૪]]
ભાવાર્થ
કોઈ વિવેકી શ્રાવકને સંયમ અત્યંત પ્રિય હોય, ભગવાન સંયમ સેવીને ક્ષાયિકભાવને પામેલા છે, તેવો સૂક્ષ્મબોધ છે અને ભગવાનના ક્ષાયિકભાવો પ્રત્યે અત્યંત ભક્તિ છે, વળી ભૂતકાળના કરેલા પુણ્યથી