________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૫-૪૯૬
ટીકા ઃ
निर्बीजे यत्र वपनयोग्यमपि धान्यं नास्ति तस्मिन् दुर्भिक्षे दुष्काले सति केनचिद् राज्ञा केनचिन्नृपतिना द्वीपान्तरादन्यस्मात् कुतश्चिदानीय बीजमिहेति प्रस्तुतदेशे दत्तं कर्षकजनस्य कृषीवललोकस्य भूरिधान्योत्पत्तये वपनार्थं, तत्र तद् बीजं कैश्चित्कर्षकैः सर्वं समस्तं खादितं भक्षितं, प्रकीर्णमुप्तम् अन्यैः कर्षकैरर्द्धमिति सम्बन्धः, अर्द्ध तु खादितमित्यर्थः, सर्वं चान्यैः प्रकीर्णं निष्पत्तिं च नीतमिति गम्यते, उप्तोद्गतं च प्रकीर्णप्ररूढं च केचित् कर्षकाः क्षेत्रे वर्तमानं खोट्टेति त्ति कुट्टयंति, राज्ञश्चरिकया विमर्द्य स्वगृहेषु नेतुकामा इत्यर्थः । अत एव सन्त्रस्तास्तरलितलोचनयुगला भयाद्, यदुतेमे गृह्यामहे, ते च राजपुरुषैः प्राप्ता महता क्लेशेन विनाशमाप्नुवन्ति प्रचण्डशासनत्वाનૃપતેરિતિ દૃષ્ટાન્તઃ ।।૪-૪૬।।
૧૬૭
ઢીકાર્ય ઃ
निर्बीजे यत्र દૃષ્ટાન્તઃ ।। નિર્બીજ દુભિક્ષ હોતે છતે=જ્યાં વાવવાને યોગ્ય પણ ધાન્ય નથી, તેવો નિર્બીજ દુષ્કાળ હોતે છતે કોઈક રાજા વડે બીજા કોઈક દ્વીપથી બીજ લાવીને પ્રસ્તુત દેશમાં ખેતી કરનારા લોકોને અપાયું=ઘણા ધાન્યની ઉત્પત્તિ માટે વાવવાના પ્રયોજનથી અપાયું, ત્યાં તે બીજને કેટલાક ખેડૂતો વડે સર્વ ભક્ષણ કરાયું. બીજા ખેડૂતો વડે અર્ધ પ્રકીર્ણ કરાયું=અર્ધ ખવાયું અને અર્ધ વપન કરાયું અને બીજા વડે સર્વ વાવણી કરાયું અને નિષ્પત્તિને પ્રાપ્ત કરાયું અને વવાયેલું અને ઊગેલું=ખેતરમાં વર્તતા વવાયેલાને અને ઊગેલાને, કેટલાક ખેડૂતો ફૂટે છે= રાજાની ચોરી કરવાના આશયથી તોડીને પોતાના ઘરે લઈ જવાની ઇચ્છાવાળા ફૂટે છે. આથી જ સંત્રસ્ત છે=ભયથી ચંચળ ચક્ષુવાળા છે અર્થાત્ જ્યારે ફૂટે છે ત્યારે રાજપુરુષોથી પકડાઈ જવાના ભયથી જોનારા છે, તે યદ્યુતથી બતાવે છે
આનાથી અમે ગ્રહણ કરાશું, એ પ્રકારે ભયથી જોનારા છે અને તેઓ=ચોરી કરનારા ખેડૂતો, રાજપુરુષો વડે પકડાયેલા મોટા ક્લેશથી વિનાશને પામે છે; કેમ કે રાજાનું પ્રચંડ શાસનપણું છે, એ પ્રકારે દૃષ્ટાંત છે. ।।૪૯૫-૪૯૬॥
ભાવાર્થ:
કોઈક ક્ષેત્રમાં વાવવા યોગ્ય બીજ નથી અને વળી દુકાળ છે, તેથી લોકોના અનુગ્રહ માટે રાજાએ બીજા દ્વીપથી બીજોને લાવીને ખેડૂતોને વાવવા માટે આપ્યાં. તેમાંથી કેટલાક ખેડૂતો બધાં બીજ ખાઈ ગયા. કેટલાક ખેડૂતો અર્થાં બીજ ખાઈ ગયા અને અર્ધાં બીજને વાવ્યાં. કેટલાક તે બધાં બીજને વાવે છે, કેટલાક ખેડૂતો વાવેલા અને ઊગેલા પોતાના ખેતરમાં રહેલા તે ધાન્યને કૂટે છેચોરી કરીને તે ધાન્યને ઉખેડીને પોતાના ઘરે લઈ જવા તત્પર થાય છે ત્યારે અમે રાજપુરુષોથી પકડાઈ જઈશું, એ પ્રકારે ચારે બાજુ દૃષ્ટિ નાખે છે, ત્યારે રાજપુરુષોએ તેમને પકડીને મોટા ક્લેશથી વિનાશ કર્યો; કેમ કે તે રાજાનું પ્રચંડ શાસનપણું હતું. I૪૫-૪૯૬॥