________________
૧પ૬
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૮૮-૪૮૯ કરતા નથી. તેમનું અગુપ્તિવાળું માનસ સિદ્ધાંતના અધ્યયન દ્વારા અધિક અધિકતર અનુપ્ત થાય છે, જેનાથી ક્લિષ્ટ પાપોને બાંધીને તેમનો વિનાશ થાય છે. તેમાં તે ઔષધનો દોષ નથી, પરંતુ તેમની અયોગ્યતાને કારણે તેમનો વિનાશ થાય છે. જોકે વિવેકી વૈદ્ય અયોગ્ય રોગીને ઔષધ આપે નહિ, તેમ સુવૈદ્ય એવા ભગવાન અયોગ્યને સિદ્ધાંત પદરૂપ ઔષધ આપે નહિ. તેથી આ દૃષ્ટાંત તે અંશમાં નથી, પરંતુ સુવૈદ્યનું ઔષધ ગાઢ રોગીને પિવડાવવામાં આવે તો તેનો રોગ વૃદ્ધિ પામે, તેમ ભગવાનની દેશના સાંભળવા આવેલામાં પણ ભારેકર્મી જીવોને ભગવાનનું ઔષધ વિપરીત પરિણમન પામે છે અને વર્તમાનમાં પણ ભગવાનનાં શાસ્ત્રો ભણીને અને સંયમ ગ્રહણ કરીને જે જીવો યથાતથા પ્રવૃત્તિ કરે છે, તે જીવોને ભગવાનના વચનરૂપી ઔષધ વિનાશ પમાડે છે. એ અર્થમાં દૃષ્ટાંતનું યોજન છે. II૪૮૮ાા અવતરણિકા :
ये च जिनवचनवैद्यचिकित्साया अप्यसाध्याः तेऽसाध्या एवेत्यत्रार्थे लौकिकदृष्टान्तानाहઅવતરણિતાર્થ -
અને જેઓ જિતવચનરૂપ વૈદ્યની ચિકિત્સાથી પણ અસાધ્ય છે, તેઓ અસાધ્ય જ છે. આ અર્થમાં લોકિક દષ્ટાંતને કહે છે –
ગાથા :
दड्डजउमकज्जकरं, भिन्नं संखं न होइ पुण करणं ।
लोहं च तंबविद्धं, न एइ परिकम्मणं किंचि ॥४८९।। ગાથાર્થ :
બળેલું લાખ અકાર્યકર છે, ભેદાયેલો શંખ ફરી કરવાનું શક્ય નથી, તાંબાથી વીંધાયેલું લોખંડ કંઈપણ પરિકર્મને પામતું નથી. II૪૮૯ll ટીકા -
दग्धं जतु भस्मीभूतं लाक्षाविकाररूपमकार्यकरं प्रयोजनकारि न तद् भवति, भिन्नं विदलितं, शङ्ख जलजं न तद् भवति, पुनः क्रियत इति पुनःकरणं पुनः कर्तुं न शक्यत इत्यर्थः, लोहम् अयस्तच्च ताम्रविद्धं शुल्बमिश्रं नैति नागच्छति 'परिकम्मणं ति परिकर्म पुनःकरणरूपं किञ्चिद् घटान्तानि लोहानीति प्रसिद्धस्तथा तेऽपि न चिकित्सितुं शक्या इत्युपनयः ।।४८९।। ટીકાર્ય :
ઉં નવું... ફક્યુપનઃ || દગ્ધ જતુ=ભસ્મીભૂત થયેલ લાક્ષાવિકાર રૂપ જતુ, અકાર્યકર છે= લાખના પ્રયોજન કરનારું થતું નથી, ભેદાયેલો શંખ=વિભાગ કરાયેલો જલમાં ઉત્પન્ન થનારો