________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૨
૧૧૭
અવતરણિકાર્ય :
અને કહે છે=મોહથી હણાયેલા જીવો પુણ્યબુદ્ધિથી પાપને આચરે છે, એમ પૂર્વગાથાની ટીકાના અંતમાં કહ્યું એને કહે છે –
ગાથા :
आरंभपाकनिरया, लोइयरिसिणो तहा कुलिंगी य ।
दुहओ चुक्का नवरं, जीवंति दरिद्दजियलोयं ।।४६२।। ગાથાર્થ :
આરંભ અને પાકમાં રક્ત લૌકિક ઋષિઓ અને કુલિંગીઓ ઉભય લોકથી ચૂકેલા કેવલ દરિદ્રતાની જેમ આજીવિકા કરતા જીવે છે. II૪૬ચા. ટીકા :
आरम्भः स्नानादौ पृथिव्याधुपमर्दः पाकश्चरुकादिनिवृत्तो धान्यादीनां, तयोरारम्भपाकयोर्निरता आसक्ता इति समासः । लौकिकऋषयः स्वबुद्ध्या निर्मायाध्यवसायास्तापसादयस्तथा कुलिङ्गिनश्च मायाविनो भौतादयस्ते किमित्याह-दुहओ चुक्का नवरं ति केवलमुभयतो भ्रष्टा वराकाः, न ते गृहस्थास्तद्विरुद्धवेषत्वान्नापि यतयो हिंसादिप्रवृत्तत्वादतो जीवन्ति प्राणान् धारयन्ति दारिद्र्यजीवलोकमिति दारिद्र्येण दौर्गत्येन तद्वदैन्यवृत्त्या जीवलोको जीविका यस्मिन् जीवने तत् तथेति क्रियाविशेषणमेतदिति ॥४६२।। ટીકાર્ય :
સારH: ... જિયવિશેષ મેિિત | આરંભ સ્નાન વગેરેમાં પૃથ્વીકાય વગેરેની હિંસા, પાક= ધાન્ય વગેરેના ચરુક વગેરેથી કરાયેલું ભોજન, તે બેમાં=આરંભ અને પાકમાં, નિરત આસક્ત, એ પ્રમાણે સમાસ છે, લૌકિક ઋષિઓ પોતાની બુદ્ધિથી માયા વગરના અધ્યવસાયવાળા તાપસ વગેરે અને કુલિંગીઓ=માયાવી ભાત વગેરે તેઓ કેવલ ઉભયથી ભ્રષ્ટ બિચારા છે, તે ગૃહસ્થો નથી; કેમ કે તેનાથી વિરુદ્ધ વેષપણું છે, વળી યતિઓ નથી; કેમ કે હિંસા વગેરેમાં પ્રવૃત્તપણું છે, આથી દારિદ્ર જીવલોકનેત્રદારિદ્રથી અર્થાત્ દૌર્ગત્યથી તેની જેમ વ્યવૃત્તિથી જીવલોક છે જેને અર્થાત્ જીવિકા છે જે જીવનમાં તે તેવા છે, એ પ્રકારે આ=ક્રિયાવિશેષણ છે, એથી તેઓ દરિદ્રતાની જેમ આજીવિકા કરતા જીવે છે–પ્રાણને ધારણ કરે છે. ll૪૬રા ભાવાર્થ:જે અન્ય દર્શનના લૌકિક ઋષિઓ આરંભ અને પોતાના દેહનિર્વાહ માટે પાકમાં નિરત છે અને