________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૦, ૪૭૧-૪૭૨
૧૨૯ છે, તેથી અહિંસા વગેરે મહાવ્રતો અને ક્ષમા વગેરે સાધુધર્મમાં યત્ન કરનારા છે. તેઓ સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત કરવામાં દક્ષ છે, તેથી મનુષ્યભવને પામીને જીવરૂપી ગાડાને અનેક અભિગ્રહોથી ભરે છે, તેના ઉત્તમ સંસ્કારો લઈને પરલોકમાં જવાના છે અને નિયમોના સેવનથી બંધાયેલા ઉત્તમ પુણ્યથી પરલોકમાં જનારા છે, તેમને મૃત્યુ વખતે કોઈ ચિંતા નથી; કેમ કે તેમને વિશ્વાસ છે કે વર્તમાન ભવના મારા કૃત્યના ફળ સ્વરૂપે ભાવિના સર્વ ભવો અધિક અધિક શ્રેષ્ઠ પ્રાપ્ત થશે, એથી મૃત્યુ વખતે પણ નિશ્ચિત શુભ ધ્યાનમાં વર્તી શકે છે. II૪૭૦II અવતરણિકા :
एतच्च जानाना अप्यन्ये गुरुकर्मका न कुर्वन्तीत्याहઅવતરણિકાર્ય :
આને જાણતા પણ=નિયમમાં રહેલા સાધુને પરલોક વગેરેનો શોક નથી એને જાણતા પણ, ભારે કર્મવાળા બીજા કરતા નથી, એને કહે છે – ગાથા :
साहंति य फुडवियडं, मासाहससउणसरिसया जीवा ।
न य कम्मभारगरुयत्तणेण, तं आयरंति तहा ।।४७१।। ગાથાર્થ :
“મા સાહસ' પક્ષીની જેવા જીવો સ્પષ્ટ વિકટ કાર્યને સાધે છે=કહે છે, કર્મભારના ગરુપણાને કારણે તેને=જે કહે છે તેને, તે પ્રકારે આચરતા નથી જ. ll૪૭૧ll ટીકા :
साधयन्ति च परस्मै प्रतिपादयन्त्येव स्फुटविकटं व्यक्तवर्णैर्विस्तरेणेत्यर्थः । मासाहसशकुनसदृशका जीवा इत्यनेन वक्ष्यमाणगाथासंविधानकं सूचयति, न च नैव कर्मभारगुरुकत्वेन हेतुभूतेन तत् स्वयं कथितमाचरन्त्यनुतिष्ठन्ति तथा यथा कथयन्तीति ।।४७१।। ટીકાર્ય :
સાત્તિ ... અથતિ બીજાને કહે છે=વ્યક્ત વર્ણો વડે વિસ્તારથી સ્પષ્ટ વિકટને કહે છે જ. ‘મા સાહસ' પક્ષી જેવા જીવો બીજાને પ્રતિપાદન કરે છે, આના દ્વારા વક્ષ્યમાણ ગાથાના સંવિધાનકને સૂચન કરે છે='મા સાહસ' એ પક્ષીના કથન દ્વારા કહેવાનારી ગાથા યથાર્થ અર્થને કહેનારી છે એવું સૂચન કરે છે. હેતુભૂત એવા કર્મભારના ગુરુપણાને કારણે તેઓ પોતે કહેલા તેને આચરતા નથી જ=સેવન કરતા નથી જ=જે પ્રમાણે કહે છે તે પ્રમાણે સેવન કરતા નથી. II૪૭૧ાા.