________________
૧૨૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૯-૪૭૦ તે પ્રકારે મિથ્યા આશ્વાસન લઈને પ્રમાદ ક૨વો જોઈએ નહિ. પરંતુ મૃત્યુ હંમેશાં અનેક પ્રકારે સન્મુખ છે, તેમ ભાવન કરીને ક્ષણભર પણ પ્રમાદ વગર આત્મહિતમાં ઉદ્યમ કરવો જોઈએ. II૪૬૯॥
અવતરણિકા :
स चाऽकृतधर्मा शोचति, विहितसदनुष्ठानस्य तु नास्ति शोक इत्याह
અવતરણિકાર્ય :
નથી કરાયો ધર્મ જેના વડે એવો તે જીવ શોક કરે છે. વળી કરાયેલા અનુષ્ઠાનવાળા જીવને શોક નથી એને કહે છે
ગાથા:
-
कत्तो चिंता सुचरिय-तवस्स गुणसुट्ठियस्स साहुस्स ? | सुग्गइगमपsिहत्थो, जो अच्छइ नियमभरियभरो ।।४७० ।।
ગાથાર્થ ઃ
સારું ચરિત્ર અને સારા તપવાળા ગુણમાં સારી રીતે રહેલા સાધુને ચિંતા ક્યાંથી હોય ? જે નિયમના ભારથી ભરેલા સુગતિગમનમાં દક્ષ એવા રહે છે. II૪૭૦||
ટીકા ઃ
कुतश्चिन्ता न कुतश्चिद्, विशिष्टावष्टम्भात् कस्य सुचरिततपसः स्वनुष्ठिताऽनशनादेर्गुणसुस्थितस्य संयमवत इत्यर्थः, साधोर्मोक्षसाधकस्य, सुगतिगमनपरिहत्थः स्वर्गापवर्गगमनदक्षो य आस्ते तिष्ठति, नियमानामनेकाकाराभिग्रहाणां भृतः पूरितो भरो जीवशकटाधेयलक्षणो येन स तथाभूत इति ।।४७० ।।
ટીકાર્ય ઃ
कुतश्चिन्ता તથામૂત કૃતિ ।। કોનાથી ચિંતા ?=કોઈનાથી નહિ; કેમ કે વિશિષ્ટનું અવલંબન છે, કોને ચિંતા નથી ? એથી કહે છે
–
સારું ચરિત્ર અને સારા તપવાળા સાધુને=અનશન વગેરે સુંદર આચરણવાળા ગુણમાં સુસ્થિત સંયમવાળા મોક્ષને સાધનારા સાધુને કોઈનાથી ચિંતા નથી, એમ અન્વય છે. જે સાધુ સુગતિગમન પરિહત્ય=સ્વર્ગગમત-મોક્ષગમતમાં દક્ષ એવો રહે છે, નિયમોના=અનેક આકારવાળા અભિગ્રહોના, ભરાયેલા=પુરાયેલા, ભરવાળા છે જીવશકટ આધેય લક્ષણ જેના વડે તે તેવો છે. ।।૪૭૦|| ભાવાર્થ :
જે મહાત્માઓ મનુષ્યજન્મને પામીને શક્તિ પ્રમાણે ઉત્તમ આચારો પાળે છે, તપ કરે છે, સંયમવાળા