________________
૧૩૮
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૭
चंदो व्व कालपक्खे, परिहाइ पए पए पमायपरो ।
तह उग्घरविग्घरनिरंगणो य न य इच्छियं लहइ ।।४७७ ।।
ગાથાર્થ ઃ
કાલપક્ષમાં=કૃષ્ણ પક્ષમાં, જેમ ચંદ્ર તેમ પ્રમાદપર સાધુ સ્થાને સ્થાને પરિહાની પામે છે અને ઉગૃહ, વિગૃહ અને અંગના વગરનો તે સાધુ ઈચ્છિતને પ્રાપ્ત કરતો નથી જ. II૪૭૭|| ટીકા ઃ
चन्द्र इव कालपक्षे कृष्णार्द्धमासे परिहीयते परिक्षयं याति गुणापेक्षया पदे पदे स्थाने स्थाने प्रमादपरः सन् साधुरिति गम्यते, अभ्युच्चयमाह, तथोद्गृहविगृहनिरङ्गनश्च न च नैवेष्टं लभते इति, तत्रोद्गतं प्राबल्येन नष्टं गृहं गृहस्थपर्यायसम्बन्धि यस्याऽसावुद्गृहः, विगृहः प्रव्रज्यायां विशिष्टवसतिरहितः, निर्गताऽङ्गना योषिदस्मादिति निरङ्गनः, उद्गृहश्च असौ विगृहश्च स चासौ निरङ्गनश्चेति समासः । तदयमर्थः - केवलं क्लिष्टाध्यवसायेन विषयान् वाञ्छन्नसौ प्रतिक्षणं कर्म चिनोति, न पुनरभिलषितं प्राप्नोति, गृहगृहिणीप्रभृतीनां तत्साधनानामभावादिति ।।४७७ ।। ટીકાર્ય ઃ
ચન્દ્રવ ..... અમાવાવિત્તિ ।। કાલપક્ષમાં-કૃષ્ણ અર્ધમાસરૂપ કાલપક્ષમાં, ચંદ્ર પરિક્ષયને પામે છે, તેની જેમ પ્રમાદપર સાધુ ગુણ અપેક્ષાથી પગલે પગલે=સ્થાને સ્થાને, પરિહાનિને પામે છે, અભ્યુચ્ચયને કહે છે • તે રીતે ઉગૃહ-વિગૃહ-નિરંગતાવાળો ઇષ્ટને પ્રાપ્ત કરતો નથી જ, ત્યાં= ઉગૃહ વગેરે ત્રણ પદોમાં, ઉદ્ગત=પ્રબળપણાથી નષ્ટ થયેલું, ગૃહસ્થ પર્યાય સંબંધી ગૃહ છે જેને એવો આ ઉગૃહ, વિગૃહ=પ્રવ્રજ્યામાં વિશિષ્ટ વસતિ રહિત=સર્વ પ્રકારની અનુકૂળતાયુક્ત વસતિ રહિત એવો સાધુ, નીકળી ગઈ છે સ્ત્રી આનાથી એવો નિરંગત ઉગૃહ-વિગૃહ-નિરંગત એવા આ એ પ્રમાણે સમાસ છે, તેથી આ અર્થ છે ક્લિષ્ટ અધ્યવસાયને કારણે=સંયમજીવનમાં તે તે પ્રકારની અનુકૂળતાની ઇચ્છારૂપ ક્લિષ્ટ અધ્યવસાયને કારણે, કેવળ વિષયોને ઇચ્છતો એવો આ સાધુ દરેક ક્ષણે કર્મને બાંધે છે, પરંતુ અભિલષિતને પ્રાપ્ત કરતો નથી; કેમ કે ઘર-સ્ત્રી વગેરે તેનાં સાધનોનો અભાવ છે=ઇચ્છિત સુખનાં સાધનોનો અભાવ છે. ।।૪૭૭।।
-
ભાવાર્થ:
જે સાધુ સ્થાને સ્થાને પ્રમાદપર છે અર્થાત્ સંયમની સર્વ ક્રિયાઓ માત્ર બાહ્યથી કરે છે અને તે પણ પ્રાયઃ સ્વમતિ અનુસાર કરે છે, પરંતુ શમભાવના પરિણામથી વાસિત થઈને ક્રિયામાં યત્ન કરવા દ્વારા