________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૬
૧૦૩
અવતરણિકા :
तथा चाह
અવતરણિકાર્ય :
અને તે પ્રકારે કહે છે–પૂર્વની ગાથામાં કહ્યું કે તરતમયોગ દુર્લભ છે. તે પ્રકારે ગાથામાં કહે છે – ગાથા :
पंचिंदियत्तणं माणुसत्तणं, आरिए जणे सुकुलं ।
साहुसमागम सुणणा, सद्दहणाऽरोग पव्वज्जा ।।४६६।। ગાથાર્થ :
પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યદેશમાં ઉત્પત્તિ, સુકુલ, સાધુનો સમાગમ, શ્રવણ, સદ્હણા, આરોગ્ય અને પ્રવજ્યા અનુક્રમે દુર્લભ દુર્લભ છે. I૪૬ll ટીકા :
पञ्चेन्द्रियत्वं सम्पूर्णचक्षुरादिप्राप्तिः, मानुषत्वं मनुष्यजन्म, आर्ये मगधादौ जने देशे उत्पत्तिरिति शेषः । तत्रापि सुकुलं धर्मयोग्यमुग्रादि, साधुसमागमः सुगुरुसम्पर्क इत्यर्थः । 'सुणण'त्ति श्रवणं धर्मशास्त्राकर्णनं, 'सद्दहणं'ति श्रद्धानम् एवमेतदिति तत्त्वे प्रत्ययः, आरोग्यं नीरोगता संयमभारोद्वहनक्षमतेत्यर्थः, प्रव्रज्या सद्विवेकात् सर्वसङ्गत्यागरूपा भागवती दीक्षा । एतानि सर्वाण्यप्युत्तरोत्तरक्रमेण दुर्लभानीति गम्यते ॥४६६।। ટીકાર્ચ -
પન્દ્રિયવંતે ા પંચેન્દ્રિયપણું સંપૂર્ણ ચક્ષુ વગેરે ઇન્દ્રિયની પ્રાપ્તિ, મનુષ્યપણું મનુષ્યજન્મ, આર્ય એવા મગધ વગેરે દેશમાં ઉત્પત્તિ, તેમાં પણ સુકુલ=ધર્મને યોગ્ય ઉગ્ર વગેરે કુલ, સાધુનો સમાગમ=સુગુરુનો સંપર્ક, શ્રવણ ધર્મશાસ્ત્રને સાંભળવા, શ્રદ્ધાન=આ પ્રમાણે જ આ છે એ પ્રકારે તત્વમાં નિશ્ચય, આરોગ્ય=નીરોગતા=સંયમના ભારને વહન કરવાનું સામર્થ્ય, પ્રવ્રયા=સદ્વિવેકથી સર્વ સંગના પરિત્યાગરૂપ ભાગવતી દીક્ષા, આ સર્વ પણ ઉત્તર-ઉત્તરના ક્રમથી દુર્લભ છે=પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તરનું દુર્લભ છે, એ પ્રમાણે અધ્યાહાર છે. I૪૬૬ ભાવાર્થ
પૂર્વની ગાથામાં કહ્યું કે જીવોને મોક્ષસાધક સામગ્રી તરતમતાથી પ્રાપ્ત થઈ છે એ દુર્લભ છે તેને જ સ્પષ્ટ કરતાં કહે છે – પ્રાયઃ જીવોને એકેન્દ્રિય વગેરે ભવોની પ્રાપ્તિ છે, પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ અતિદુર્લભ છે અને