________________
૧૧૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૨-૪૬૩ તેઓ પોતાની બુદ્ધિથી માયા વગરના અધ્યવસાયવાળા છે, તેવા તાપસાદિ પણ આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરીને અમે ધર્મ કરીએ છીએ તેમ માને છે. વળી કુલિંગીઓ માયાવી છે, આત્માને ઠગનારા છે, તેઓ પોતાના દર્શનના આચારોને સમ્યગ્ પાળતા નથી, પરંતુ માયાથી પોતે ત્યાગી છે તેમ બતાવે છે. આથી ભગવાનના શાસનમાં પણ જે આત્માને ઠગનારા કુલિંગી છે તે સર્વ સાક્ષાત્ કે પરંપરાએ આરંભસમારંભની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે, તેઓ આલોક અને પરલોક બન્ને ભવોથી ચૂકેલા છે; કેમ કે આલોકમાં પોતાના ભુજાબળથી ધન પ્રાપ્ત કરીને જીવતા નથી, પરંતુ લોકો પાસેથી યાચના કરીને જીવે છે અને સેવાયેલા પાપના ફળરૂપે પરલોકમાં દુર્ગતિને પામશે. તેથી જેમ દરિદ્ર ભિખારી વગેરે ભીખ માગીને જીવે છે, તેવી આજીવિકાથી તેઓ પોતાના પ્રાણ ધારણ કરે છે, પરમાર્થથી તો તેઓનો આ ભવનો જન્મ પણ નિષ્ફળ છે અને પરભવ પણ અહિતકારી થશે, તેથી જેઓ મોહથી જ ધર્મની આચરણા કરે છે તેઓ ક્યારેય આત્મહિત કરી શકતા નથી. II૪૬૨ા
અવતરણિકા :
समुन्मूलितमोहानां पुनरिदं चेतसि वर्त्तते इत्याह
અવતરણિકાર્ય :
ઉન્મૂલન કરાયો છે મોહ જેમના વડે એવા મહાત્માઓના ચિત્તમાં વળી આ વર્તે છે, એને
કહે છે
ગાથા:
सव्वो न हिंसियव्वो, जह महिवालो तहा उदयपालो ।
न य अभयदानवइणा, जणोवमाणेण होयव्वं ।।४६३ ।।
ગાથાર્થ ઃ
સર્વની હિંસા કરવી જોઈએ નહિ, જે પ્રમાણે મહીપાલ, તે પ્રમાણે ઉદયપાલ, અભયદાન વ્રતવાળા મહાત્માએ જનઉપમાનથી થવું જોઈએ નહિ. II૪૬૩11
ટીકા –
सर्वो जन्तुर्न हिंसितव्यो न पीडनीयः, किं तर्हि ? यथा महीपालो राजा तथोदकपालो रङ्कोऽप्यपरिभवनीयतया द्रष्टव्य इति शेषः, न च नैवाभयदानपतिना तद्दायकत्वात् तत्स्वामिना अभयदानव्रतिना वाऽभयं सर्वप्राणिभ्यो मया दातव्यमित्यभ्युपगमवता इत्यर्थः किं ? जनस्येवोपमानमुपमा यस्याऽसौ जनोपमानस्तेन तथाभूतेन भवितव्यं यथाऽऽहुर्लीकिकाः