________________
૧૨૦
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૪૬૪
અવતરણિકા:
एवं च कुर्वनविवेकिभिरक्षमो गण्यत इत्याह चઅવતરણિકાર્ય :
અને આ પ્રમાણે કરતો અવિવેકી વડે અસમર્થ ગણાય છે. એથી કહે છે – ગાથા :
पाविज्जइ इह वसणं, जणेण तं छगलओ असत्तो त्ति ।
न वि कोइ सोणियबलिं, करेइ वग्घेण देवाणं ।।४६४।। ગાથાર્થ :
અહીં=લોકમાં, લોક દ્વારા હીલનારૂપ કષ્ટને પામે છે, બકરાની જેમ અસમર્થ છે, દેવોના વાઘથી કોઈ લોહીના બલિને કરતો નથી. ૪૬૪ll ટીકા :
प्राप्यते इह लोके व्यसनं हीलारूपं जनेनाऽविवेकिना क्षमावान्, यदुत त्वं छगलको वस्तोऽशक्तोऽक्षम इति कृत्वा, तथाहि-नापि नैव कश्चिच्छोणितबलिं रुधिरबलिं करोति व्याघ्रण करणभूतेन देवानां चण्डिकादीनां, तस्य तेजःप्रधानत्वात् तेजोरहितस्य छागस्यैव तत्करणोचितत्वादतस्त्वमपि तादृश इत्येवं हील्यमानेनापि तेन क्षमैवालम्बनीया, न पुनस्तद्वचनेन क्रोधो विधेयः, तस्य परलोकापकारित्वादायुषश्चानित्यत्वेन परलोकस्याभ्यर्णवर्तित्वादिति ॥४६४।। ટીકાર્ય :
પ્રાથતે દ... –ાવિતિ | આ લોકમાં હીલનારૂપ વ્યસનને કષ્ટતે, અવિવેકી લોક દ્વારા ક્ષમાવાળા પ્રાપ્ત કરાય છે, તે હીલના ચકુતથી બતાવે છે – ક્ષમાવાળો તું અશક્ત છે–અસમર્થ છે, એથી કરીને છગલ વસ્ત=બકરા જેવો છે, તે આ પ્રમાણે=ક્ષમાવાળો જીવ લોકો દ્વારા કઈ રીતે હીલના પામે છે તે તથાદિથી બતાવે છે – કોઈક જીવ દેવોનાગચંડિકા વગેરે દેવોના, કરણભૂત= સાધતભૂત એવા વાઘ વડે, રુધિરના બલિને કરતો નથી જ, કેમ કે તેનું–ચંડિકા વગેરેના કરણભૂત વાઘનું, તેજપ્રધાનપણું છે, તે જરહિત એવા છાગતું જ તસ્કરણ ઉચિતપણું છે=બલિકરણને ઉચિતપણું છે, આથી તું પણ તેવો છું=બકરા જેવો છું, આથી લોકો તને દબડાવે છે તોપણ પ્રતિકાર કરતો નથી, આ પ્રમાણે હલના કરાતા પણ તેના વડે ક્ષમા જ અવલંબત કરવી જોઈએ, પરંતુ તેના વચનથી ક્રોધ કરવો જોઈએ નહિ; કેમ કે તેનું ક્રોધનું, પરલોકમાં અપકારીપણું છે અને આયુષ્યનું અનિત્યપણું હોવાને કારણે પરલોકનું નજીકપણું છે. II૪૬૪