________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૧
અવતરણિકાર્ય :
•
અને કહે છે=ગાથા-૪૬૦માં કહ્યું કે ક્લિષ્ટ પરિણામવાળો જીવ દરેક સમયે કર્મજાળને બાંધે છે અને બીજું શું કરે છે ? તે બતાવે છે
ગાથા :
-
परपरिवायविसाला, अणेगकंदप्पविसयभोगेहिं ।
संसारत्था जीवा, अरइविणोयं करिंतेवं ।।४६१।।
ગાથાર્થ :
અનેક કદર્પ અને વિષયના ભોગો વડે પરપરિવાદથી વિશાલ એવા સંસારસ્થ જીવો આ રીતે અરતિ વિનોદને કરે છે=મૂઢતાથી અરતિમાં આનંદ માણે છે. II૪૬૧||
ટીકા ઃ
૧૧૫
परपरिवादेनाऽन्यावर्णवादेन विशाला विस्तीर्णाः परपरिवादविशालाः, अनेन द्वेषकार्यं लक्षयति, अनेककन्दर्पविषयभोगैर्बहुविधपरिहासशब्दाद्यनुभवनैः करणभूतैः, अनेन रागकार्यं दर्शयति, किं ? संसारस्थाः भवस्थिताः सकर्मका इत्यर्थः, अनेन तु रागद्वेषयोर्बीजं कथयति । जीवाः प्राणिनोऽरतिविनोदं परितापप्रेरणं कुर्वन्त्येवं मोहात्, न चासौ कर्तुं शक्यो यतो विषयाभ्यासमनुविवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणां तथा चोक्तम्
1
उपभोगोपायपरो, वाञ्छति यः शमयितुं विषयतृष्णाम् ।
धावत्याक्रमितुमसौ, पुरोऽपराह्णे निजच्छायाम् ।।
कियद् वैतन्मोहोपहतानां, ते ह्यपुण्यमपि पुण्यबुद्ध्या चरन्तीति ।।४६१ ।।
.....
ટીકાર્થ ઃ
परपरिवादेन ચરન્તીતિ।। પરપરિવાદથી=બીજાના અવર્ણવાદથી વિશાળ=વિસ્તારને પામેલા જીવો પરપરિવાદવિશાલા છે, આના દ્વારા=પરપરિવાદવિશાળ એવા જીવના વિશેષણ દ્વારા, દ્વેષનું કાર્ય ઓળખાવે છે, અનેક કંદર્પ અને વિષયના ભોગો વડે=કરણભૂત એવા ઘણા પ્રકારના પરિહાસશબ્દ વગેરેને અનુભવવા વડે, જીવો પરપરિવાદવિશાળ છે એમ અન્વય છે, આના દ્વારા=અનેક કંદર્પ વિષય ભોગો વડે, એ વિશેષણ દ્વારા, રાગનું કાર્ય દેખાડે છે, શું ?=અનેક કદર્પ વિષય ભોગો વડે પરપરિવાદવિશાલા શું છે ? એથી કહે છે સંસારમાં રહેલા=ભવમાં રહેલા=કર્મથી સહિત જીવો છે, વળી આના દ્વારા=સંસારસ્થા એ વિશેષણ દ્વારા, રાગ-દ્વેષના બીજને કહે છે, આ રીતે જીવો=પ્રાણીઓ, અરતિના વિનોદને=પરપરિવાદ દ્વારા બીજાને પરિતાપ અને કંદર્યાદિ
-