________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૮-૪૫૯
૧૧૧
છે અને તે રીતે ઉપલક્ષણમાં પહેલાં દોષના અભાવને=ચોરી દોષના અભાવને, બતાવતાં કહે
છે
-
511211 :
जड़ ता तणकंचणलिट्ठरयणसरिसोवमो जणो जाओ ।
तइया नणु वोच्छिन्नो, अहिलासो दव्वहरणम्मि ।। ४५८ ।।
ગાથાર્થ ઃ
જો તણખલું અને સોનું, ઢેફું અને રત્નમાં સમાન ઉપમાવાળો લોક થયો ત્યારે નિશ્ચિત દ્રવ્યહરણમાં વિચ્છિન્ન અભિલાષવાળો છે. II૪૫૮।।
ટીકા
यदि तावदित्यभ्युपगमे, तृणकाञ्चनलोष्ठरत्नेषु सदृशी एकाकारा उपमोपमानं निर्लोभतया समानदर्शित्वाद्यस्यासौ तृणकाञ्चनलोष्ठरत्नसदृशोपमः, यद्येवंविधो जनो विशिष्टलोको जातः सम्पन्नस्तदा ननु निश्चितमेतद् व्यवच्छिन्नस्त्रुटितोऽभिलाषो द्रव्यहरणे परस्वादाने कारणाभावाદ્વિતિ ૫૪૮।।
ટીકાર્થ ઃ
यदि तावदित्य વ્હારગામાવાવિતિ । જો એ શબ્દ સ્વીકારમાં છે, તેથી જો લોક તણખલું અને સોનું, ઢેકું અને રત્નમાં સમાન અર્થાત્ એક આકારવાળી ઉપમા છે જેને એવો આ તૃણકાંચન લોષ્ઠરત્ન સદેશ ઉપમાવાળો છે; કેમ કે નિર્લોભપણાને કારણે સમાનદર્શીપણું છે, જો આવા પ્રકારનો લોક=વિશિષ્ટ લોક થયો, તો નક્કી આ દ્રવ્યહરણમાં=પરધનના ગ્રહણમાં, વિચ્છિન્ન અભિલાષવાળો છે; કેમ કે કારણનો અભાવ છે=લોભરૂપ કારણનો અભાવ છે. ૪૫૮।
ભાવાર્થ :
જે મહાત્માઓ ગુણવાનના ગુણોનું સ્મરણ કરીને ગુણના સંગ્રહ માટે યત્ન કરે છે, તે શમભાવને અનુકૂળ ઉચિત યત્ન કરે છે અને જો તેઓ તણખલું અને સોનું, ઢેકું અને રત્નમાં સમાનભાવવાળા થાય તો તેઓને પારકા ધનને ગ્રહણ કરવાનો અભિલાષ વિચ્છેદ પામે છે. તેથી તેઓ ચોરી, વંચના, ફૂડ-કપટ કરે નહિ, પરસ્ત્રીને ગ્રહણ કરે નહિ, તેથી ગુણને અભિમુખ થયેલા જીવો શમભાવની પ્રાપ્તિ દ્વારા અવશ્ય દોષરહિત થાય છે માટે ગુણના અર્થીએ તે પ્રકારે જ સર્વ પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઈએ. II૪૫૮ અવતરણિકા :
तदिदमवेत्य सन्मार्गे वर्तितव्यं, सन्मार्गस्खलनाद्धि महतामप्यवस्तुता सम्पद्यत इत्याह च