________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૬-૪૫૭
ટીકાર્ય ઃ
सर्वः कश्चिद् વર્તમાનનિર્દેશ કૃતિ ।। સર્વ કોઈ જ્ઞાનાદિ ગુણો વડે ગણતીય થાય છે, દૃષ્ટાંતને કહે છે=જ્ઞાનાદિ ગુણોથી જીવ ગણનાપાત્ર થાય છે, એ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે ગુણાધિકને=સત્ત્વ વગેરે ઉત્કટ ગુણવાળાને, જે પ્રમાણે લોકમાં કર્મશત્રુના નાશકપણાથી પ્રસિદ્ધપણું હોવાથી વીર=સુભટ એવા લોકવીર ભગવાન, તેમને સંભ્રાંત મુકુટવિટપવાળો=ભક્તિના અતિશયથી યુક્ત મુકુટપલ્લવ છે જેને એવો, હજાર નયનવાળો ઇન્દ્ર સતત=નિરંતર, આવે છે=વંદન કરવા આવે છે.
.....
-
અહીં પ્રશ્ન થાય કે ઇન્દ્ર તો વીર ભગવાનને ભૂતકાળમાં વંદન કરવા આવેલ, વર્તમાનમાં આવે છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે
૧૦૯
-
સૂત્રની ત્રિકાલગોચરતા બતાવવા માટે વર્તમાનનો નિર્દેશ છે=ત્રણે કાળમાં આવા ઉત્તમ પુરુષને નમવા ઇન્દ્ર સતત આવે છે તે બતાવવા માટે વર્તમાનકાળનો નિર્દેશ છે. ।।૪૫૬॥
અવતરણિકા :
गुणहीनस्य तु व्यतिरेकमाह
અવતરણિકાર્ય :
વળી ગુણહીતના વ્યતિરેકને કહે છે=ગુણહીન જીવ લોકમાં નિંદાપાત્ર બને છે
ગાથા
ભાવાર્થ -
બધા જીવો ગુણોથી જગતમાં ગણનાપાત્ર થાય છે, પરંતુ અનાદિથી ગુણથી પૂર્ણ પુરુષ કોઈ નથી, જેમ અન્ય દર્શનવાળા અનાદિ શુદ્ધ ઈશ્વર માને છે તેવું જગતમાં નથી માટે જેમને ગુણવાન પુરુષને જોઈને ગુણ પ્રત્યે લેશ પણ પક્ષપાત થાય છે તે જીવ ગુણપ્રાપ્તિને યોગ્ય છે, ક્યારેક અનેક દોષોથી આક્રાંત હોવા છતાં તે જીવને તે ગુણો પ્રીતિ ઉત્પન્ન કરે છે. તેથી ગુણવાન પ્રત્યે બહુમાન થાય છે તે સર્વ ગુણપ્રાપ્તિનાં બીજ છે, માટે તેવા જીવો પોતાની શક્તિ પ્રમાણે યત્ન કરે તો ગુણો વડે ગણનીય થઈ શકે છે. જેમ લોકમાં ગુણથી અધિક એવા વીર ભગવાનને ઇન્દ્ર પણ વારંવાર નમસ્કાર કરવા આવે છે; કેમ કે ગુણ પ્રત્યેના પક્ષપાતથી વીર ભગવાનને નમસ્કાર કરીને ઇન્દ્ર પોતાના આત્માને ગુણથી સમૃદ્ધ ક૨વા યત્ન કરે છે, તેમ જેમને ગુણસંપન્ન પુરુષને જોઈને બહુમાન થાય છે તે જીવો ગુણપ્રાપ્તિને યોગ્ય જ છે, માટે અમે ગુણપ્રાપ્તિ માટે અયોગ્ય છીએ, તેમ મિથ્યાભાવન કરીને પોતાની યોગ્યતાનો નાશ કરવો જોઈએ નહિ, પરંતુ ગુણવૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. II૪૫૬ા
चोरिक्कवंचणाकूडकवड- परदारदारुणमइस्स ।
तस्स च्चिय तं अहियं पुणो वि वेरं जणो वह ।।४५७ ।।