________________
૧૧૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૭-૫૮
ગાથાર્થ :
ચોરી, વંચના, ફૂડ, કપટ, પરસ્ત્રીમાં દારુણ મતિવાળા એવા તેના જ તે અહિતને લોક વળી વેરને વહન કરે છે. I૪પ૭ના ટીકા - ___ चौर्यं स्तेयं, वञ्चना क्रियया विप्रलम्भना, कूटं वाचनिकं, कपटं मानसं शाठ्यं, परदाराः परकलत्रं, एतेषु दारुणा पापप्रवृत्ता मतिर्यस्यासौ चौर्यवञ्चनाकूटकपटपरदारदारुणमतिः, तस्य किं ? तस्यैव तत् तथाविधचेष्टितमहितमपथ्यमिह, परत्र च पुनरपि वैरं तस्योपरि क्रोधाध्यवसायं जनो वहति, पापिष्ठोऽद्रष्टव्योऽयमित्याद्याक्रोशदानात्, तदयं तस्य वराकस्य गण्डस्योपरि स्फोटक ત્તિ ૪૫છા. ટીકાર્ય :
રો....... ોટ તિ ચોર્ય=સ્તેય, વંચતા=ક્રિયાથી ઠગવું, કૂટ=વાણીનું કૂટપણું, કપટ=મનની શઠતા, પરદારા=પરસ્ત્રી, આ બધામાં દારુણ=પાપપ્રવૃત, મતિ છે જેની એ ચોરી-વંચતા-ફૂટ-કપટપરદારા દારૂણ મતિવાળા છે તેને શું? તેનું જ તેeતેવા પ્રકારનું ચેષ્ટિત અહિત=અપથ્ય, અહીં અને પરલોકમાં છે. વળી પણ તેના ઉપર વેર ને ક્રોધના અધ્યવસાયને લોકો વહન કરે છે=આ જીવ પાપિષ્ઠ છે અદ્રષ્ટવ્ય અર્થાત્ નહિ જોવા યોગ્ય છે એ પ્રમાણે આક્રોશ આપવાપૂર્વક વેરને વહન કરે છે. તેથી આ આક્રોશ વગેરે, આ બિચારાને ગંડસ્થલ પર ફોલ્લા જેવો છે. ૪૫૭ના ભાવાર્થ -
જે જીવો ચોરી વગેરે અકાર્યો કરવામાં તત્પર છે, તે જીવોનાં તે અહિત કૃત્યો છે અને લોકો તેની નિંદા કરે છે, તેથી તે જીવ વધારે દુઃખી થાય છે, તેનાથી નક્કી થાય છે કે જીવો વર્તમાનમાં અહિત કરીને દુઃખી થાય છે અને લોકના આક્રોશ પામીને પણ દુઃખી થાય છે, માટે વિવેકી લોકોએ અલ્પ પણ દોષની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, પરંતુ પોતાના દોષો ક્ષીણ થાય અને હિત થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ પોતાને અયોગ્ય માનીને પોતાનું હિત કરવામાં ઉપેક્ષા કરવી જોઈએ નહિ. II૪પણા અવતરણિકા -
गुणस्थितानां पुनरमी दोषा दूरोत्सारिता एव, तथा चाद्यदोषाभावमुपलक्षणत्वेन दर्शयन्नाहઅવતરણિકાર્ચ - વળી ગુણોમાં વર્તતા જીવોના આ દોષો=ગાથા-૪૫૭માં બતાવ્યા એ દોષો, દૂર કરાયેલા જ