________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૯-૪૩૦
ગાથાર્થ :
છ જીવનિકાય અને મહાવ્રતોના પરિપાલનથી યતિધર્મ છે. વળી, જો તેને રક્ષણ કરતો નથી, તું કહે – તે ખરેખર કયો ધર્મ છે? અર્થાત્ કોઈ ધર્મ નથી. II૪૨૯ll ટીકા :
षड्जीवनिकायमहाव्रतानां प्रतिपालनया यतिधर्मो भवति, यदि पुनस्तानि षड्जीवनिकायमहाव्रतानि यतिरपि न रक्षति भण त्वमेव कथय तावत् को नाम स धर्मः ?, न कश्चिदित्यभिप्रायः । पृथक् षड्जीवनिकायग्रहणं तु तद्रक्षणस्य प्राधान्यख्यापनार्थम् ॥४२९।। ટીકાર્ય :
પીવાના ... થાજસ્થાપનાર્થ એ છ જવનિકાય અને મહાવ્રતોના પરિપાલનથી યતિધર્મ છે, જો વળી તેને=છ જીવલિકાય અને મહાવ્રતોને સાધુ હોવા છતાં પણ રક્ષણ કરતો નથી, તું જ કહે – તે ખરેખર કયો ધર્મ છે? અર્થાત્ કોઈ ધર્મ નથી એ પ્રકારનો અભિપ્રાય છે. છ જવનિકાયનું ગ્રહણ જુદું વળી તેના રક્ષણના=૭ જીવનિકાયના રક્ષણના પ્રાધાને જણાવવા માટે છે. ll૪૨૯ ભાવાર્થ -
સાધુ સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી હોય છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય છે જીવનિકાયનું પાલન અને મહાવ્રતો સ્વરૂપ છે, તેથી જે સાધુ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને વીતરાગના વચનથી આત્માને સતત ભાવિત કરે છે અને ગુપ્તિના અતિશયના અંગરૂપે શરીરના કોઈ કૃત્યો આવશ્યક કરવાનાં જણાય કે વેયાવચ્ચ વગેરે કૃત્યો આવશ્યક જણાય ત્યારે પણ કંટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ કાયચેષ્ટા કરીને છ જીવનિકાયનું પાલન કરે છે અને જે તે પ્રકારે છ જવનિકાય અને મહાવ્રતોનું પાલન કરતા નથી, માત્ર તપ વગેરે બાહ્ય કૃત્યો કરે છે તેમને કયો ધર્મ છે ? અર્થાત્ કોઈ ધર્મ નથી, માત્ર સંસારવૃદ્ધિને અનુકૂળ સંસારી જીવોની ચેષ્ટાતુલ્ય ધર્મનું લાઘવ કરે તેવી હીન ચેષ્ટા છે.
અહીં પાંચ મહાવ્રતોમાં છે જીવકાયના પાલનનો અંતર્ભાવ હોવા છતાં તેની પ્રધાનતા બતાવી, તેનાથી પણ ફલિત થાય છે કે સાધુએ છે જીવકાયના પાલનમાં અત્યંત ઉદ્યમશીલ થવું જોઈએ, નહિ તો તેમની સર્વ આચરણા નિષ્ફળ છે. II૪રલા અવતરણિકા :વિશ્વઅવતરણિતાર્થ :
છ જીવનિકાયની દયા વગરના સાધુ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરનારા છે. તેને વિશ્વથી સ્પષ્ટ કરે છે –