________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૦, ૪૨૧-૪૩૨
૭૫
પાલનના પરિણામથી રહિત ગૃહસ્થ સુસાધુને દાન આપીને છ જવનિકાયના દયાના પરિણામને અભિમુખ થાય છે, તેટલો શુભ ભાવ પણ પ્રમાદી સાધુ કરી શકતા નથી; કેમ કે સુસાધુને ગૃહસ્થ સંબંધી આહારદાન વગેરે કહ્યું, પરંતુ તેવા પ્રમાદી સાધુનું કંઈ પણ કલ્પતું નથી. II૪૩ના અવતરણિકા :
ननु यो यावत् करिष्यते तस्य तावद्धर्मः सम्पूर्णगुणाः सुदुर्लभा इत्युच्यते । स्यादेतद् गृहिणस्तद्विरतेविचित्रत्वाद्, न पुनर्यतेः, तेन सर्वविरतेरभ्युपगतत्वात् तथा चाहઅવતરણિતાર્થ -
નનુથી શંકા કરે છે – જે સાધુ જેટલું કરશે=જેટલી સંયમની બાહ્ય આચરણા કરશે, તેને તેટલો ધર્મ છે, સંપૂર્ણ ગુણવાળા સાધુ અત્યંત દુર્લભ છે, એ પ્રકારની શંકામાં ઉત્તર અપાય છે, આ થાય=જે જેટલું કરશે તેટલો ધર્મ થશે એ પ્રકારનું શંકાકારનું કથન ગૃહસ્થને આશ્રયીને થાય; કેમ કે તેની વિરતિનું વિચિત્રપણું =શ્રાવકના દેશવિરતિ ધર્મનું અનેક ભેદપણું છે, પરંતુ યતિને આશ્રયીને ન થાય; કેમ કે તેના વડેસાધુ વડે, સર્વવિરતિનો સ્વીકાર કરાયેલો છે અને તે રીતે કહે છે–સાધુ જેટલું સુંદર કરે તેટલો ધર્મ થાય એ કથન સંગત નથી. તે રીતે કહે છે – ગાથા :
सव्वाओगे जह कोइ, अमच्चो नरवइस्स चित्तूणं । आणाहरणे पावइ, वहबंधणदव्वहरणं च ।।४३१।। तह छक्कायमहव्वयसव्वनिवित्तीउ गिण्हिऊण जई ।
एगमवि विराहतो, अमच्चरनो हणइ बोहिं ।।४३२।। ગાથાર્થ :
જેમ કોઈ અમાત્ય રાજા સંબંધી સર્વ યોગોને ગ્રહણ કરીને આજ્ઞાનું ઉલ્લંઘન હોતે છતે વધબંધન અને ધનહરણને પામે છે, તેમ છકાય અને મહાવ્રતની સર્વ નિવૃત્તિઓને ગ્રહણ કરીને એકને પણ વિરાધના કરતો સાધુ દેવોના રાજા=ભગવાન, તેના સંબંધી બોધિને હણે છે. ll૪૩૧-૪૩૨) ટીકા :
सर्वयोगान् समस्ताधिकारान् यथा कश्चिदमात्यो लब्धप्रसादः सचिवो नरपते राज्ञः सम्बन्धिनो गृहीत्वा स पश्चादाज्ञाहरणे नृपतिवचनोल्लङ्घने प्राप्नोति किं वधं लकुटादिभिः बन्धनं रज्ज्वादिभिः, द्रव्यहरणं सर्वस्वोद्दालनं, चशब्दान्मारणं च, अनुस्वारलोपः पूर्वयोस्त्रयाणामपि समाहारद्वन्द्वो વાડમિતિ પારૂા