________________
૨૦.
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૪-૩૫ ગુપ્તિનો પરિણામ થાય, તેવું કૃત્ય તે જીવ માટે ધર્મ છે, માટે સુસાધુએ અંતરંગ સમિતિ, ગુપ્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે લાભ-નુકસાનની તુલના કરીને આ અનુષ્ઠાન કરાય અથવા આ અનુષ્ઠાન ન કરાય, તેવો નિર્ણય કરવો જોઈએ. માત્ર આ જ અનુષ્ઠાન શ્રેયકારી છે, બીજું નહિ તેવો એકાંત નિર્ણય કરવો જોઈએ નહિ. ll૩૯૪મા અવતરણિકા :
गतमानुषङ्गिकम् । अधुना याऽसावायव्ययतुलनाभ्यधायि सा यान्यधिकृत्य प्रवर्त्तते तान्याहઅવતરણિકાર્ય :
આનુષંગિક પૂરું થયું. હવે જે આ આય-વ્યયની તુલના કહેવાઈ, તેનલના, જેને આશ્રયીને પ્રવર્તે છે. તેને કહે છે – ભાવાર્થ -
સાધુએ ગુપ્તિની વૃદ્ધિના અંગરૂપે આય-વ્યયની તુલના કરીને ઉચિત કૃત્યો કરવા જોઈએ, એમ પૂર્વમાં કહ્યું. ત્યાં સ્મરણ થયું કે ધર્મ આત્મવંચના વગરનો છે. એથી આત્મવંચના શું છે ? એ સ્પષ્ટ કરવા માટે આનુષંગિક ગાથા-૩૯૩-૩૯૪માં ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે ગાથા-૩૯૨માં કલ્યાણના અર્થીએ આય-વ્યયની તુલના કરવી જોઈએ, એમ કહેલું તે તુલના જે કૃત્યોને આશ્રયીને પ્રવર્તે છે, તે કૃત્યોને બતાવે છે –
ગાથા :
भिक्खू गीयमगीए, अभिसेए तह य चेव रायणिए ।
एवं तु पुरिसवत्थु, दव्वाइ चउब्विहं सेसं ।।३९५ ।। ગાથાર્થ :
ભિક્ષ, ગીતાર્થ, અગીતાર્થ, અભિષેકaઉપાધ્યાય અને આચાર્ય આ રીતે જ પુરુષવસ્તુ, શેષ દ્રવ્યાદિ ચાર પ્રકારે તુલનાનો વિષય થાય. ll૩૫ll ટીકા :
"भिक्खू गीयमगीए'त्ति भिक्षुर्द्विविधो भवति गीतार्थो विदितागमस्ततोऽन्योऽगीतार्थश्च, उत्तरचशब्दस्यह सम्बन्धः, मकारोऽलाक्षणिकः, अभिषेक उपाध्यायस्तथाचार्यः, 'चेव' त्ति शब्दादनुक्तस्थविरादिपरिग्रहः, एवं तुशब्दस्तद्गुणतारतम्यविशेषणार्थः, पुरुषा एव ज्ञानादिगुणवसनयोगाद् वस्तु, पुरुषवस्तु आयव्ययतुलनाया गोचरो भवतीति गम्यते, द्रव्यादिचतुर्विधम् आदिशब्देन क्षेत्रकालभावग्रहणात्, शेषं पुरुषवस्तुनोऽन्यत् तद्विषयो भवतीति वर्त्तते, द्रव्यात् पुरुषवस्तुनः