________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૬
અવતરણિકા :___ यद्येवं स तर्हि कतिविधो भवतीत्युच्यते सामान्येन त्रिविधो ज्ञानादिविषयत्वाद् विशेषतोऽनेकाकारः, यत आहઅવતરણિતાર્થ -
જો આ પ્રમાણે છે=આય-વ્યયની તુલના વગર પ્રવૃત્તિ કરવામાં આવે તો અતિચાર છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે છે, તો તે અતિચાર, કેટલા પ્રકારે થાય છે, એ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે – સામાન્યથી ત્રણ પ્રકારે થાય છે; કેમ કે જ્ઞાનાદિનું વિષયપણું છે=જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક અતિચાર છે, વિશેષથી અનેક આકારવાળો છે=અતિચાર અનેક ભેદવાળો છે, જે કારણથી કહે છે – ભાવાર્થ :
જે સાધુ ભિક્ષુ આદિને આશ્રયીને કે દ્રવ્યાદિને આશ્રયીને આય-વ્યયની તુલના કરતા નથી, પરંતુ માત્ર આ આચાર્ય છે, આ ઉપાધ્યાય છે ઇત્યાદિ વિચાર કરીને તેમને અનુકૂળ આચરણા કરે છે અને તેમના માટે સર્વ અપવાદો સ્વીકારે છે, તેમને અતિચારની પ્રાપ્તિ છે સંયમના ઉલ્લંઘનની પ્રાપ્તિ છે; કેમ કે આચાર્ય હોય કે ગીતાર્થ હોય, જે કોઈ ગુણવૃદ્ધિનું કારણ ન હોય તેવી આચરણા કરે તો તેમના સંયમનો નાશ થાય છે, જેમ મંગુ આચાર્ય શાસ્ત્રમાં નિપુણ પ્રજ્ઞાવાળા હતા, છતાં પ્રમાદવશ આયવ્યયની તુલના કર્યા વગર પ્રવૃત્તિ કરી તો વિરાધક થયા અને તે અતિચાર સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના ઉલ્લંઘનરૂપ હોવાથી સામાન્યથી ત્રિવિધ છે; કેમ કે પોતે સમર્થ હોવા છતાં વિપરીત આલંબન લીધું, તેમાં તેમના જ્ઞાનનો વિપર્યાસ થયો, રુચિનો વિપર્યાસ થયો, ચારિત્રનો વિપર્યાસ થયો, તે ત્રણની વિરાધના કરીને વ્યંતરપણાને પામ્યા. તેથી અતિચારનો વિષય રત્નત્રય છે અને વિશેષથી અતિચારો અનેક આકારવાળા છે. તે બતાવે છે – ગાથા :
चरणाइयारो दुविहो, मूलगुणे चेव उत्तरगुणे य ।
मूलगुणे छट्ठाणा, पढमो पुण नवविहो तत्थ ।।३९६ ।। ગાથાર્થ :
ચારિત્રના અતિચાર બે પ્રકારે છે – મૂલગુણમાં અતિક્રમ, ઉત્તરગુણમાં અતિક્રમ, મૂલગુણમાં છ સ્થાનો છે, તેમાં વળી પ્રથમ મૂલગુણ નવ પ્રકારે અતિચારવાળો છે. ll૩૯૬ll ટીકા :
चरणातिचारश्चारित्रातिक्रमो द्विविधः, कथमित्याह-मूलगुणे चेवोत्तरगुणे च मूलोत्तरगुणविषय इत्यर्थः । तत्र मूलगुणे जातावेकवचनं, मूलगुणेषु षट्स्थानानि प्राणातिपातविरमणादिरात्रिभक्तविरति