________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૩-૪૦૪
33 પ્રયોજન હોતે છતે સમર્થ સાધુએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેનો નિર્ણય ન કરી શકે તે અગીતાર્થ સાધુ છે.
વળી આ પુરુષ મજબૂત શરીરવાળો છે, આ સુકુમાર છે, તેમ સામાન્યથી જાણવા છતાં મજબૂત શરીરવાળાએ સંયમની કઈ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, કેવા પ્રકારનો નિર્દોષ આહાર ગ્રહણ કરવો જોઈએ, સુકુમાર શરીરવાળાએ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય અને કેવા પ્રકારના આહાર વગેરે તેમને આપવા જોઈએ ઇત્યાદિ સૂક્ષ્મ માર્ગાનુસારી બોધ જે સાધુને નથી, તે અગીતાર્થ છે. વળી આચાર્ય વગેરે વસ્તુ છે, આ સામાન્ય સાધુ છે, તેથી આચાર્યની ગચ્છની ધુરા વહન કરવાની શક્તિ અખ્ખલિત રહે તે માટે શું કરવું ઉચિત છે અને સામાન્ય સાધુને આશ્રયીને સંયમની વૃદ્ધિ માટે શું કરવું ઉચિત છે, તેનો વિભાગ જે ન કરી શકે તે અગીતાર્થ સાધુ છે. II૪૦૩
ગાથા :
पडिसेवणा चउद्धा, आउट्टिपमायदप्पकप्पे य । न वि जाणइ अग्गीओ, पच्छित्तं चेव जं तत्थ ।।४०४।।
ગાથાર્થ :
પ્રતિસેવના ચાર પ્રકારે છે – આકુટ્ટી, પ્રમાદ, દર્પ અને કલ્પ હોતે છતે અગીતાર્થ જાણતા નથી અને ત્યાં આકુટ્ટી વગેરે પ્રતિસેવનામાં, જે પ્રાયશ્ચિત તેને જાણતા નથી. II૪૦૪ ટીકા :
प्रतिसेवना निषिद्धाचरणा चतुर्द्धा चतुर्भेदा भवति । कथमित्याह-'आउट्टिपमायदप्पकप्पे'त्ति एषां च स्वरूपमिदमुक्तं
आउट्टिया उविच्चा, दप्पो पुण होइ वग्गणाईओ । कंदप्पाइ पमाओ कप्पो पुण कारणे करणं ।।
तश्च आकुट्टिका च प्रमादश्च दर्पश्च कल्पश्चेति समाहारद्वन्द्वस्तस्मिन् सति, चशब्दः स्वगतानेकभेदसूचकस्तां चैवम्भूतां प्रतिसेवनां नाऽपि जानात्यगीतोऽगीतार्थः, प्रायश्चित्तमालोचनादि, चैवशब्दात् तत्सेवकभावोपक्रमणं च यत् तत्र तत्र जानाति, बहुशो न जानातीति वचनमागमं विना न किञ्चित् ज्ञायते, स्वबुद्धिकल्पितस्य व्यभिचारितया महामोहरूपत्वादिति ज्ञापनार्थम् ।।४०४।। ટીકાર્ચ -
પ્રતિસેવના ...... જ્ઞાપનાર્થમ્ II પ્રતિસેવતા=નિષિદ્ધ આચરણા, ચાર પ્રકારની છે–ચાર ભેદવાળી છે, કઈ રીતે ચાર ભેજવાળી છે ? એથી કહે છે – આકુટ્ટી, પ્રમાદ, દર્પ અને કલ્પ અને આ પ્રતિસેવનાઓનું સ્વરૂપ આ કહેવાયું છે –