________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૪
કપ
ગાથાર્થ :
જ્ઞાનાધિકનું જ્ઞાન પૂજાય છે, જ્ઞાનથી ચારિત્ર પ્રવર્તે છે, જેને વળી બન્નેમાંથી એક પણ નથી, તે પુરુષમાં શું પૂજાય છે ? Il૪૨૪ll ટીકા - __ ज्ञानाधिकस्य सम्बन्धि ज्ञानं पूज्यते, यतो ज्ञानात् प्रवर्त्तते चरणं तत्पूर्वकत्वात् तस्य, यस्य पुनर्वयोनिचरणयोरेकमपि नास्ति तस्मिन् पुरुषे पूज्यते किं ? न किञ्चित् तदनेन व्यवहारतो ज्ञानं चरणरहितं स्यान्न पुनश्चरणं ज्ञानविकलं हेत्वभावाद् ।।४२४।। ટીકાર્ય :
જ્ઞાનાવસ્થ ..... દેત્રમાવાન્ |જ્ઞાનાધિક સાધુ સંબંધી જ્ઞાન પૂજાય છે, જે કારણથી જ્ઞાનથી ચારિત્ર પ્રવર્તે છે; કેમ કે તેનું ચારિત્રનું, તપૂર્વકપણું છે=જ્ઞાનપૂર્વકપણું છે, વળી જે સાધુને બમાંથી=જ્ઞાન અને ચારિત્રમાંથી, એક પણ નથી, તે પુરુષમાં શું પૂજાય છે? કંઈ પૂજાતું નથી, તે કારણથી આના દ્વારા=પ્રસ્તુત ગાથાના કથન દ્વારા, વ્યવહારનયથી જ્ઞાન ચારિત્રથી રહિત હોય, વળી ચારિત્ર જ્ઞાનથી રહિત નહિ; કેમ કે હેતુનો અભાવ છે સમ્યગું ચારિત્રના હેતુભૂત સમ્યજ્ઞાનનો અભાવ છે. I૪૨૪મા ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે જે ગીતાર્થ સાધુમાં જિનવચનાનુસાર યથાર્થ જ્ઞાન છે, તેથી શુદ્ધ પ્રરૂપણા કરે છે અને યોગ્ય જીવોને સન્માર્ગ બતાવે છે, છતાં પ્રમાદ આપાદક ચારિત્ર મોહનીય કર્મને કારણે ક્રિયાહીન છે, તેવા સંવિગ્નપાક્ષિક સાધુ દુષ્કર તપ કરનારા કરતાં શ્રેષ્ઠ છે, કેમ શ્રેષ્ઠ છે ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – તે મહાત્મામાં ચારિત્રની આચરણા જિનવચનાનુસાર નહિ હોવા છતાં જ્ઞાનથી અધિક છે અર્થાતુ ચારિત્રની જેમ જ્ઞાન હીનતાવાળું નથી, પરંતુ જિનવચનના હાર્દને સ્પર્શનારું છે માટે અધિક છે. તેથી તેનું જ્ઞાન પૂજાય છે; કેમ કે જ્ઞાનથી જ ચારિત્ર પ્રવર્તે છે અને સમ્યગું ચારિત્રનું પ્રવર્તક બને તેવું જ્ઞાન તે મહાત્મામાં છે, ફક્ત પ્રતિબંધક ચારિત્ર મોહનીય બલવાન છે, તેથી સમ્યગ્યારિત્રની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સમ્યગ્યારિત્રને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થતું નથી, તેથી તે મહાત્મા જેવો સમ્યગુ બોધ છે, તે પ્રકારે સમ્યગુ આચરણા કરવા સમર્થ નથી તોપણ સમ્યગું આચરણાના બીજભૂત તત્ત્વની રુચિથી યુક્ત સમ્યજ્ઞાન તેમનામાં હોવાથી તે અંશથી જ્ઞાન પૂજાય છે.
વળી જે દુષ્કર માસક્ષમણાદિ કૃત્યો કરે છે અને અલ્પ આગમવાળા છે, તે પુરુષમાં સમ્યજ્ઞાન પણ નથી અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત સમ્યગ્વારિત્ર પણ નથી, તેથી જેનામાં જ્ઞાન અને ચારિત્ર એક પણ ન હોય તે પુરુષ કઈ રીતે પૂજ્ય થાય ? માટે દુષ્કર કરનારો અલ્પ આગમવાળો પુરુષ પૂજ્ય નથી, ટીકામાં કહ્યું કે આના દ્વારા વ્યવહારથી જ્ઞાન ચારિત્ર રહિત હોય, પરંતુ ચારિત્ર જ્ઞાનરહિત હોય નહિ