________________
૪૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૨-૧૩ सम्यक् प्रवर्त्तमानस्यापि न वर्द्धते गुणश्रेणिः ज्ञानादिगुणपद्धतिः, गुणवद्गुरुयोगस्यैव तद्वृद्धिहेतुत्वात्, तदभावे तु तावत्येव यावती प्रागासीत् तत्प्रमाणा तिष्ठति, क्लिष्टचित्तस्य पुनरेकाकिनः किञ्चिज्ज्ञस्य गुणपद्धतिरपयात्येव, पूर्वोक्तं चानन्तसंसारित्वं सम्पद्यते इति द्रष्टव्यम् ।।४१२-४१३।। ટીકાર્ય :
વં દત્રમ્ અહીં=બે ગાથામાં, આ રીતે=આગળ બતાવે છે એ રીતે, પદોનો સંબંધ જાણવો, સેંકડો અપરાધપદોને=સેંકડો અતિચાર સ્થાનોને, કરીને પણ જે જાણતો નથી, શું જાણતો નથી ? તે વડુતથી બતાવે છે – મારા વડે આ=આ અપરાધપદો કરાયાં. કયા કારણથી જાણતો નથી ? એથી કહે છે – અબહુશ્રુત છે=અબહુશ્રુતનો અર્થ પંચમી વિભક્તિમાં હોવા છતાં પ્રથમ વિભક્તિ કેમ કરી ? તેમાં હેતુ કહે છે – નિમિત્ત-કારણરૂપ હેતુઓમાં સર્વ વિભક્તિઓનું પ્રાયઃ દર્શન છે, એ પ્રકારનું વચન હોવાથી અને નિર્દેશનું ભાવપ્રધાનપણું હોવાથી અબહુશ્રુતનો અર્થ અબહુશ્રુતપણું હોવાથી=વિશિષ્ટ વ્યુતરહિતપણું હોવાથી કરાયેલાં સર્વ અપરાધસ્થાનોને જાણતો નથી એમ અવય છે, તોપણ વિચારવાની ઇચ્છાવાળો છે=ગીતાર્થ વગર કેવલપણાથી વસવાની ઈચ્છાવાળો છે, તપસ્વી વિકૃષ્ટ તપથી નિષ્ટપ્ત શરીરવાળો હોવા છતાં પણ, તેની ગુણશ્રેણી વધતી નથી=જે ભૂમિકામાં તેનું ચિત્ત છે તેનાથી તપ વગેરે દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિ થતી નથી.
અને બીજું – માર્ગને જાણ્યા વગર=જ્ઞાન વગેરે મોક્ષના માર્ગને જાણ્યા વગર, દિવસે કરાયેલા દૈવસિક અતિચારો, એ રીતે રાત્રિના જે અતિચારો છે, તેની શુદ્ધિ=પ્રાયશ્ચિત્ત વડે સ્વપરની શુદ્ધિ તેને જાણતો નથી, એમ અત્રય છે અને વ્રતના અતિચારોને મૂલ-ઉત્તરગુણના ખંડનરૂપ વ્રતના અતિચારોને, સ્વરૂપથી પણ જે જાણતો નથી, તે અશુદ્ધને તેવા શુદ્ધને પણ=પોતાની બુદ્ધિથી સમ્યફ પ્રવર્તમાનને પણ, ગુણશ્રેણી=જ્ઞાનાદિ ગુણપદ્ધતિ વધતી નથી; કેમ કે ગુણવાન ગુરુના યોગનું જ તેની વૃદ્ધિનું હેતપણું છે. વળી તેના અભાવમાં=ગુણવાન ગુરુના અભાવમાં, તેટલી જ રહે છે=જેટલી પૂર્વમાં હતી, એટલા પ્રમાણવાળી રહે છે. ક્લિષ્ટ ચિતવાળા એકાકી કંઈક જાણનારની ગુણપદ્ધતિ દૂર જાય છે જ અને પૂર્વમાં કહેલું અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે એમ જાણવું. ૪૧૨-૪૧૩ના ભાવાર્થ:
કોઈ મહાત્મા સંસારથી ભય પામેલા હોય, તેથી શક્તિ અનુસાર બાહ્ય તપ અને સ્વાધ્યાય વગેરે તપ કરતા હોય, છતાં ગીતાર્થ વગર વિચરવાની ઇચ્છાવાળા હોય અને અનાભોગ કે સહસાત્કારથી નિગ્રંથભાવને અભિમુખ સમ્યગુ પ્રમાણમાં અલના પામતા હોય અર્થાત્ સેંકડો અપરાધપદોને સેવતા હોય તોપણ અબહુશ્રુત હોવાને કારણે પોતે અપરાધપદને સેવે છે, તેમ જાણતા નથી તેવા સાધુ સંયમની ઉચિત ક્રિયાઓ કરે તોપણ ગુણશ્રેણીની વૃદ્ધિ કરી શકતા નથી; કેમ કે સંયમની ક્રિયા અંતરંગ રીતે