________________
૩૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૫ થી ૪૦૮
ગાથા :
कह सो जयउ अगीओ ? कह वा कुणइ अगीयनिस्साए ?।
कह वा करेउ गच्छं ? सबालवुड्डाउलं सो उ ।।४०८।। ગાથાર્થ :
અગીતાર્થ કેવી રીતે યત્ન કરે ? અથવા અગીતાર્થની નિશ્રાથી સાધુ કેવી રીતે હિત કરે? અથવા બાલ-વૃદ્ધોથી સહિત એવા ગચ્છને કેવી રીતે ચલાવે? Il૪૦૮II ટીકા :
कथमसौ यततामगीतोऽगीतार्थः ?, कथं वा करोतु हितमिति शेषः, गीतं गणधरैः शब्दितं श्रुतं तन्त्र विद्यते यस्यासावगीतः, तस्य निश्रा आश्रयणमगीतनिश्रा तया, कथं वा करोतु गच्छं ?, सह बालवृद्धवर्त्तत इति सबालवृद्धः, स चासावाकुलश्च स तथा, प्राघूर्णकाद्याकीर्णत्वात् तं, सोऽगीतार्थस्तनिश्रितो वा उपायाभावात्, तुशब्दाद् विपर्ययप्रवृत्तेश्चानर्थं कुर्यादिति ॥४०८।। ટીકાર્ચ -
થના ... ફિરિ II કેવી રીતે આ અગીતાર્થ યત્ન કરે ? અથવા કેવી રીતે હિતને કરે?. ગીત=ગણધરો વડે કહેવાયેલું શ્રુત, તે વિદ્યમાન નથી જેને તે અગીત છે, તેની નિશ્રા=આશ્રયણ, અગીતનિશ્રા તેનાથી સાધુ કેવી રીતે હિતને કરે ? અર્થાત્ કરે નહિ અથવા કેવી રીતે ગચ્છને કરે ?–અગીતાર્થ સાધુ કેવી રીતે ગચ્છને કરે ? કેવા ગચ્છને ? તેથી કહે છે –
બાલ-વૃદ્ધોથી સહિત છે એ સબાલવૃદ્ધ અને તે=બાલવૃદ્ધથી સહિત ગચ્છ આકુલ છે તે તેવો છે=સબાલવૃદ્ધકુલ છે; કેમ કે પ્રાપૂર્ણક આદિથી અર્થાત્ મહેમાન સાધુ વગેરેથી આકીર્ણપણું છે, તેવા ગચ્છને તે અગીતાર્થ, કેવી રીતે કરે ? અર્થાત્ અગીતાર્થ અથવા તેની નિશ્રામાં રહેલો સાધુ ઉપાયનો અભાવ હોવાથી ગચ્છના હિતને કરે નહિ, તુ શબ્દથી વિપરીત પ્રવૃત્તિ હોવાથી અનર્થને કરે. II૪૦૮
ભાવાર્થ :
અગીતાર્થ સાધુ કે અગીતાર્થનિશ્રિત સાધુ બાલ સહિત વૃદ્ધથી યુક્ત એવા ગચ્છનું હિત કરી શકે નહિ, પોતાનું પણ હિત કરી શકે નહિ, તે દૃષ્ટાંતથી બતાવવા માટે કહે છે –
જેમ કોઈ પુરુષ ચક્ષુ રહિત હોય અને માર્ગનો જાણનાર ન હોય તે જંગલમાં ભૂલા પડેલા=માર્ગથી ભ્રષ્ટ થયેલા સાર્થને માર્ગ બતાવવા ઇચ્છે તોપણ અંધ હોવાથી માર્ગ બતાવવા સમર્થ થાય નહિ; કેમ