________________
પદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૫
૨૧
पृथग्ग्रहणं प्राधान्यख्यापनार्थमिति । तदेतानि तुलयित्वा यद् बहुलाभं तद् विधेयमन्यथाऽतिचारः થાત્ તારૂપ ટીકાર્ચ - -
“fમવર્ણી ... ચાલ્ | ભિક્ષ બે પ્રકારે છે – ગીતાર્થ=જણાયા છે આગમ જેમના વડે એવા, તેનાથી બીજા અગીતાર્થ, ઉત્તરમાં રહેલા જ શબ્દનો અહીં સંબંધ છે, મકાર અલાક્ષણિક છે, અભિષેક=ઉપાધ્યાય અને આચાર્ય, ચેવ શબ્દથી નહિ કહેવાયેલા સ્થવિર વગેરેનું ગ્રહણ છે, પર્વ તુ શબ્દ તેમના ગુણના તારતમ્યતા વિશેષણ અર્થવાળો છે. પુરુષો જ જ્ઞાનાદિ ગુણમાં વસવાના યોગથી વસ્તુ છે, પુરુષવસ્તુ આય-વ્યયની તુલનાનો વિષય થાય છે=આ પુરુષ કેવો છે તેને આશ્રયીને આય-વ્યયની તુલના કરાય છે, દ્રવ્યાદિ ચાર પ્રકારવાળું શેષ=પુરુષવસ્તુથી અન્ય, આય-વ્યયની તુલનાનો વિષય થાય છે, એમ અત્રય છે. દ્રવ્યાદિમાં આદિ શબ્દથી ક્ષેત્ર, કાલ અને ભાવનું ગ્રહણ છે, દ્રવ્યથી પુરુષવસ્તુનું જુદું ગ્રહણ પ્રાધાન્ય જણાવવા માટે છે, તે આની દ્રવ્ય વગેરેની, તુલના કરીને, જે ઘણા લાભવાળું હોય તે કરવું જોઈએ, નહિ તો અતિચાર થાય=વ્રતનું અતિચરણ થાય. Il૩૯૫ા.
ભાવાર્થ :
માયા રહિત ગુપ્તિના અતિશય માટે ક્યારે શું ઉચિત છે ? તેનો નિર્ણય કરવા માટે સાધુએ પોતે સાધુ છે, ગીતાર્થ છે, અગીતાર્થ છે, આચાર્ય છે, તરતમતાથી પોતાની શક્તિ કેવા પ્રકારની છે, તેનો નિર્ણય કરીને જેનાથી ગુપ્તિનો અતિશય થાય તે કર્તવ્ય છે અને ગુપ્તિનો નાશ થાય તે અકર્તવ્ય છે, એ પ્રકારે પુરુષવસ્તુને આશ્રયીને આય-વ્યયની તુલના છે. વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષમ છે, તેમાં જે સંયમને અનુકૂળ છે, તેનો નિર્ણય કરીને જેના સેવનથી ગુપ્તિનો અતિશય થાય તે કર્તવ્ય છે અને ગુપ્તિનો ઉપયોગ તૂટે, બાહ્ય પદાર્થો અનુસાર ભાવો થાય તે અકર્તવ્ય છે. નિપુણ પ્રજ્ઞાથી સાધુએ તેનો નિર્ણય કરીને ઉચિત કૃત્ય કરવું જોઈએ, એવી પ્રવચનની આજ્ઞા છે.
આ સાધુ ગીતાર્થ છે, તેથી તેને આશ્રયીને ક્યો ઉત્સર્ગ માર્ગ આવશ્યક છે, કયો અપવાદ માર્ગ આવશ્યક છે, જેનાથી સ્વપરનો ઉપકાર થાય, તેને આશ્રયીને આય-વ્યયની તુલના કરાય છે. જેમ ગીતાર્થ સાધુ હોય અને શરીર સમર્થ ન હોય ત્યારે અપવાદનું આલંબન લઈને શરીરનું રક્ષણ ન કરે તો સ્વયં તે ગીતાર્થ સાધુ પોતાના ભાવોમાં વિશિષ્ટ યત્ન ન કરી શકે, શિષ્યોને વાચના દ્વારા સંવેગ ઉત્પન્ન ન કરાવી શકે તેવા સંયોગમાં તે ગીતાર્થ મહાત્માએ જેનાથી અધિક લાભ થાય તેવું કૃત્ય કરવું જોઈએ અને જો બાહ્ય ત્યાગથી ગુણની અધિક હાનિ થતી હોય તો તેનું આલંબન લેવું જોઈએ નહિ, એ રીતે આચાર્ય, ઉપાધ્યાય સર્વને આશ્રયીને આય-વ્યયની તુલના આવશ્યક છે. માત્ર આ ગીતાર્થ છે, તેથી તેને સર્વ પ્રકારના અપવાદો ઇષ્ટ છે, એવો મુગ્ધજન પતિત વ્યવહાર આય-વ્યય તુલનારૂપ નથી. ૩૫