________________
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૩૯૪ ગતાર્થપણું હોવાથી=ભડક્કાદિ શબ્દો માયા વગેરે શબ્દોથી ગ્રહણ કરાયા છે, તેથી ફરી કેમ કહેવાયા?=ફરી આ ગાથા કેમ કહેવાઈ? એથી કહે છે – માયાની સાથે ધર્મનો અત્યંત વિરોધ બતાવવા માટે ફરી પ્રસ્તુત ગાથામાં ભડક્કા વગેરે એકાર્યવાચી શબ્દો દ્વારા માયાત્યાગનું કથન કરેલ છે; કેમ કે શુદ્ધ જીવને ચારિત્ર હોય છે, માયાસહિત જીવમાં ચારિત્રનો ભેદ છે=ચારિત્રનો નાશ છે, એ પ્રકારનું વચન છે, આથી જ કહે છે=માયા ધર્મમાં અત્યંત વર્ષ છે. આથી કહે છે – ખરેખર ! છઘ વગરનો માયા વગરનો, ધર્મ છે, એ પ્રમાણે આપ્ત પુરુષો કહે છે. દેવો, મનુષ્યો અને અસુરો સહિત વર્તે છે, એ સદેવમતુજાસુર તેવા લોકમાં આખ પુરુષો નિમય ધર્મને કહે છે અર્થાત્ ત્રણેય લોકમાં ધર્મ નિર્માય છે અર્થાત્ માયાવાળો ધર્મ નથી, એમ આપ્તપુરુષો કહે છે. અહીં અસુરો ભવનપતિ છે, તે સિવાયના દેવો છે. li૩૯૪iા. ભાવાર્થ :
ધર્મ આત્માની ત્રણ ગુપ્તિની પરિણતિરૂપ છે અને તેને પુષ્ટ કરે તેવી બાહ્ય ઉચિત આચરણારૂપ છે. આથી જેઓ પોતાની શક્તિનું આલોચન કરીને જે જે ઉચિત કૃત્યોથી પોતાના કાષાયિક ભાવો ક્ષીણ થાય, ગુપ્તિની વૃદ્ધિ થાય તેવી આચરણા કરે તે ધર્મ છે અને સર્વવિરતિરૂપ ધર્મ ત્રણ ગુપ્તિને અતિશય કરાવે તેવી સર્વ ઉચિત આચરણ સ્વરૂપ છે, પરંતુ બાહ્ય ભડક્કા આદિ ધર્મનું સાધન નથી, એથી લોકોને આકર્ષિત કરે તેવા વિશાળ આસન આદિ બાહ્ય આડંબરો જે કરે છે અને તેના દ્વારા પોતાની માન
ખ્યાતિ આદિ વૃત્તિઓને પોષે છે, તેઓ કદાચ તપ કરતા હોય કે બાહ્ય કષ્ટો વેઠતા હોય તો પણ તેમનું ચિત્ત અસંગભાવને અનુકૂળ લેશ પણ જતું નહિ હોવાથી તે ભડક્કા પરમાર્થથી ધર્મનું સાધન નથી અથવા તમે મને આ આપો તો હું આ કરું' વગેરે ઉત્કોચો ધર્મનું સાધન નથી, તેથી જેઓ સાક્ષાત્ તેવું બોલતા નથી, પરંતુ ગુરુ વગેરે પોતાને પાઠ વગેરે આપે તો જ વેયાવચ્ચ કે બીજાં કૃત્યો કરે, અન્યથા ન કરે તેવા પરિણામવાળા છે, તેમને તે ઉત્કોચોથી ધર્મ પ્રગટ થતો નથી; કેમ કે ગુણવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના ગુણો પ્રત્યે વધતા રાગથી ભક્તિનો પરિણામ તે પ્રકારના વેયાવચ્ચ વગેરે દ્વારા વૃદ્ધિ પામે છે. તેના દ્વારા આત્મામાં ધર્મ પ્રગટ થાય છે, પરંતુ જે સાધુમાં પરસ્પર આ સાધુ મારું કાર્ય કરે તો તેનું આ કાર્ય હું કરું, તે પ્રકારના વિભાજનથી કૃત્યો થાય છે, તેનાથી ધર્મ થતો નથી.
વળી જેઓ તે તે અનુષ્ઠાન દ્વારા કઈ રીતે ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેને જોઈ શકતા નથી અને કોઈ પૂછે તો કહે કે આ અનુષ્ઠાન કરશો તો ગુણસ્થાનકની વૃદ્ધિ થશે. એ પ્રકારે બીજાને ઠગવાની પ્રવૃત્તિ ધર્મમાં નથી; કેમ કે વિવેકથી પ્રરૂપણા કરાયેલો ધર્મ તે તે બાહ્ય કૃત્યો દ્વારા નિપુણ યત્નથી ગુણની પ્રાપ્તિનું કારણ છે. તે પ્રકારે બોધ કરાવવો એ જ ધર્મનિષ્પત્તિનું બીજ છે, અથવાથી ટીકાકારશ્રી એમ કહે છે – ભડક્કા વગેરે શબ્દો માયાના અવાજોર ભેદો છે. તેથી સર્વ પ્રકારની માયા ત્યાગ કરીને ધર્મ કરવામાં આવે તો પારમાર્થિક ધર્મ પ્રગટ થાય છે; કેમ કે આપ્તપુરુષો કહે છે કે ત્રણેય લોકમાં માયા વગરનો ધર્મ છે. તેથી પોતાની જાતને કે બીજાને ઠગ્યા વગર જે કૃત્યોથી પોતાની ભૂમિકા અનુસાર