________________
૪૬૮
તત્ત્વાર્થ સૂત્ર તે બંને વાસ્તવિક રીતે કહીએ તો સ્વપર્યાયરૂપ જ છે, પણ કલ્પનાથી સ્વ-પર પર્યાયરૂપતા કહેવાય છે. વાસ્તવિક તો આત્માથી જુદા જે પટાદિ છે તેમાં રહેલ અસ્તિત્વ અને નાસ્તિત્વાદિ ધર્મ જ પરંપરા સંબંધથી આત્માના પરપર્યા કહેવાય છે, અને સાક્ષાત્ સંબંધથી સર્વધર્મ વિધિરૂપ ક્યાં તો નિષેધરૂપ હોવાથી સ્વપર્યાય જ છે. આટલું સમજી રાખવું. -
આ રીતે એકાંતવાદને દૂર કરીને અનેકાંતવાદીને બતાવીને અનેકાંતવાદનો પહેલા અને બીજા ભંગમાં ઉપયોગ બતાવીને હવે સાત વાક્યો વડે કરીને સંપૂર્ણ અર્થનો બોધ થાય છે બતાવવા માટે કહે છે કે –
અનેકાંતવાદમાં પ્રત્યેક વાક્યોમાં ક્રિયાપદના પ્રયોગ વડે અર્થની પરિસમાપ્તિ થતી હોવાથી વસ્તુ “સાત્ અપ્તિ માત્મા' વગેરે સાત વાક્યો વડે કહેવાય છે.
હવે આપણે આ સાત વાક્યપ્રયોગો એટલે કે સપ્તભંગીને ક્રમશઃ વિચારીએ છીએ. તેમાં પહેલા અને બીજા ભંગમાં આવતા પદોમાં જે પદનો જે અર્થ થાય છે તે બતાવીએ છીએ.
સપ્તભંગી' પ્રથમ ભંગ થાત્ પ્તિ માત્મા બીજો ભંગ થાત્ નાપ્તિ આત્મા
આ વાક્યપ્રયોગમાં માત્મા એ વિશેષ્ય છે, તો એ વિશેષણ છે, વિશેષ્ય હોવાથી માત્મા એ દ્રવ્યવાચી શબ્દ છે, વિશેષણ હોવાથી ગતિ એ ગુણવાચી શબ્દ છે. અર્થાત્ તિ શબ્દથી બતાવાતું સ્તિત્વ એ વિશેષણ છે એટલે ગુણ છે એટલે મસ્ત શબ્દ એ ગુણને કહેનાર છે.
પ્રશ્ન :- “આત્મા' વિશેષ્ય છે અને “અસ્તિ' વિશેષણ છે. આમ વિશેષણ-વિશેષ્યભાવ છે એ કેવી રીતે બને ?
ઉત્તર :- શબ્દ શક્તિના સ્વભાવથી એટલે કે સ્વાભાવિક શબ્દનું તેવા પ્રકારનું સામર્થ્ય હોવાથી તેવા પ્રકારે વિશેષણપણે ‘તિ અને વિશેષ્યપણે માત્મા' છે આવી પ્રતીતિ થાય છે.
જો આત્મા વિશેષ્ય ન મનાય તો “ગતિ' એ ગુણનો અભિધાયક નહીં બનતો હોવાથી એ વિશેષણ પણ નહીં બને. પણ અહીંયાં તો “માત્મા' વિશેષ્ય જ છે.
શંકા : સત્ત્વથી રહિત આત્મા હોતો જ નથી. તો વિશેષ કોણ ? સત્ત્વયુક્ત આત્મા હોય તો જ એ વિશેષ્ય બની શકે. સત્ત્વથી રહિત વિશેષ્ય બની શકે નહિ. એટલે ‘ત્મિા' શબ્દના પ્રયોગથી આત્મામાં રહેલા વિશેષ્યના સ્વરૂપમાં સર્વ પ્રવેશી જાય છે એટલે તેનો તો ગૌણપણે બોધ થઈ જાય છે માટે “તિ' શબ્દનો પ્રયોગ નિરર્થક છે. અન્વયે પણ થઈ શકતો નથી. કેમ કે સ્વવિશિષ્ટમાં સ્વનો અન્વય કેવી રીતે થાય? એટલે કે અસ્તિત્વવિશિષ્ટ આત્મામાં
૧. પ્રથને-fપદ્યને તિ , સત્તાનાં પાનાં સમાહ: સપ્તપી ! ૨. વિશેષણ વિશેષ્યભાવથી અર્થનો બોધ કરાવવામાં જે શબ્દનું સામર્થ્ય છે તે શબ્દશક્તિ કહેવાય છે.