________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૪૦
૫૭૧ આ પ્રમાણે કહે છતે પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે પૂ. આચાર્ય ભગવંત ફરમાવે છે કે – અહીં કહેવાય છે.....શું...? ગુણનું સ્વરૂપ કહેવાય છે. જેવા દ્રવ્યના ગુણો છે તેવા ગુણોનું પ્રતિપાદન કરાય છે... આ પ્રમાણે જવાબ આપતા પૂ. સૂત્રકાર મ. નૂતન સૂત્ર ફરમાવે છે કે
વ્યાશ્રયા નિરા
ગુણા | ધ-૪૦ ||
સૂત્રાર્થ - દ્રવ્યના આશ્રયવાળા અને ગુણોના આશ્રય વગરના ગુણો છે. ટીકા :- સૂત્રમાં રહેલા “વ્યાયા' શબ્દનો વિગ્રહ બતાવી સામાસિક અર્થ કરાય છે. દ્રવ્ય માત્રા: શેષાં તે વ્યાયા. સ્થિત્યંશ એ દ્રવ્ય છે.
તે (દ્રવ્ય) આશ્રય છે જેઓનો પરિણામવિશેષ ગુણોનું જે પરિણામી કારણ છે તે દ્રવ્ય ગુણોનો આશ્રય છે.
અહીં પરિણામી અને પરિણામરૂપ આશ્રય-આશ્રયી ભાવ છે પણ કુંડ અને બોરની જેમ આધાર-આયરૂપ નથી. કુંડ એ બોરનો આધાર છે અને બોર આધેય છે તેવી રીતે પરિણામી અને પરિણામનો આધાર-આધેય ભાવ નથી પણ આશ્રય-આશ્રયી ભાવ છે.
પ્રશ્ન - ગુણ અને ગુણી(દ્રવ્ય)નો સમવાય સંબંધ હોય છે તો શું ગુણ અને દ્રવ્યનો સમવાય સંબંધ છે ?
ઉત્તર :- ના, દ્રવ્ય અને ગુણનો સમવાય સંબંધ યુક્ત નથી. દ્રવ્ય અને ગુણનો સમવાય સંબંધ બની શકે નહીં, કેમ કે દ્રવ્ય અને ગુણનો આધાર-આધેય ભાવ નથી પણ આશ્રય-આશ્રયી ભાવ છે તેથી દ્રવ્ય અને ગુણનો સમવાય બની શકે નહીં. માટે પરિણામી અને પરિણામનો સમવાય સંબંધ બની શકતો નથી.
આ રીતે દ્રવ્ય અને ગુણોનો સમવાય સંબંધ પ્રાપ્ત નથી માટે સમવાય સંબંધ તેઓનો યુક્ત નથી. આ વાત સમજાવી. છતાં અભ્યપગમવાદથી સમવાય સંબંધ સ્વીકારીએ તો શું થાય ?
નીચે પ્રમાણે અનેક દોષો આવે. -
જો દ્રવ્ય અને ગુણોનો સમવાય સંબંધ છે તો એ સમવાયનો ગુણ સાથે શો સંબંધ છે? સમવાયનો અને ગુણોનો જે સંબંધ છે તે શું સમવાય સંબંધ છે કે બીજો કોઈ સંબંધ છે ?
જો સમવાય સંબંધ માનવામાં આવે તો તે સમવાયનો અને ગુણોનો જે સંબંધ છે તેનું શું નામ છે ?
જો સમવાય સંબંધ એનું નામ છે એમ કહેશો તો અનવસ્થા આવશે. અર્થાત્ એનો શો સંબંધ છે ? એનો શો સંબંધ છે ? આ પ્રશ્નની પરંપરા જ ઊભી રહેશે પણ જવાબ નહીં