________________
પ૬૪
તત્ત્વાર્થ સૂત્ર સમયનો ઉત્પાદ આ રીતે સંતતિમાં વિનાશ આવી જતો હોવાથી નિરન્વય કેવી રીતે સંભવે ?
વળી ઉત્પાદ અને વિનાશ સર્વથા નિરાધાર જ હોતા નથી. પ્રૌવ્ય તે બંનેનો આધાર છે. કેમ કે દ્રૌવ્ય હોય તો જ ઉત્પાદ અને વિનાશ બંને હોય છે.
આ રીતે પર્યાયાર્થિક નયને અનુસરનારાએ પણ કાળ દ્રવ્ય માનવું જ પડશે.
વળી પૂર્વમાં પરત્વ અને અપરત્વ વગેરે જે કાળનું લિંગ કહેવાયું છે તે નયાન્તરના અભિપ્રાયથી જ છે.
જો નયાન્તર ન માનીએ તો પરત્વાપરત્વ એ સ્થિતિવિશેષની અપેક્ષાવાળા કહેવાશે. અર્થાત પરવાપરત્વનું અપેક્ષાકારણ સ્થિતિવિશેષ છે. કેમ કે ૬૦ વર્ષવાળા કરતાં ૧૦૦ વર્ષવાળો “પર” છે અને ૬૦ વર્ષવાળો “અપર' છે. આ સ્થાનવિશેષ જ છે. ૬૦ વર્ષ, ૧૦૦ વર્ષ આ જે આંકડા છે તે સ્થિતિના જ છે. અને આ સ્થિતિ સત્ત્વની અપેક્ષા રાખે છે. તેથી ભાવોનું અસ્તિત્વ હોવાથી સ્થિતિ છે અને ભાવોમાં જે અસ્તિત્વ છે તે અનપેક્ષ છે એ કહેલું છે.
મતલબ ભાવોનું અસ્તિત્વ કોઈની અપેક્ષા રાખતું નથી. માટે પરવાપરત્વ એ કાળની અપેક્ષાવાળા નથી.
વળી યૌગપઘથી જે કાળની સિદ્ધિ કરો છો તે પણ નહીં બની શકે. કેમ કે એ યૌગપદ્ય પણ કર્તાઓમાં વ્યવસ્થિત છે તે જ કર્તાઓની કોઈ ક્રિયાવિશેષની અપેક્ષા રાખે છે પણ કાળની નહીં.
આ ક્રિયાવિશેષો તે ક્રિયાઓથી અત્યંત ભિન્ન કહી શકાય તેમ નથી અને વળી જ્યારે કાકતાલીયન્યાયથી એક કર્તા તેવા પ્રકારની ક્રિયાને પ્રાપ્ત થાય છે ત્યારે બીજો પણ કર્તા તે જ પ્રમાણે તે ક્રિયામાં પરિણત હોય છે ત્યારે “યુગપ” આવો વ્યપદેશ થાય છે.
આવી જ રીતે “અયુગપત” માં પણ સમજી લેવું.
આ પ્રમાણે ચિર' અને ક્ષિપ્ર’ આ પ્રયોગને લઈને કાળની સિદ્ધિ કરી હતી તેને માટે પણ આ જ વિસ્તાર છે.
કેમ કે “ચિર' અને “ક્ષિપ્ર’ આ બંને ગતિની અપેક્ષા રાખનારા છે અને ગતિ તો પરમાણુ આદિ દ્રવ્યોને આધીન છે.
તેથી એક નયના આલંબનથી જ કાળની સિદ્ધિ છે. ઉપર મુજબ આપણે બંને નયથી કાળનો વિચાર કર્યો. ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે –
પ્રશ્ન :- તમે શરૂઆતમાં એક નયનું આલંબન લઈને સ્ત્ર અને અર્થનો આરંભ કર્યો અને ઉપસંહાર તો તમે બે નયથી કરી રહ્યા છો તે શા માટે ?
આ પ્રમાણે આક્ષેપ કર્યો તેનું પ્રતિવિધાન કરતાં કહે છે કે
ઉત્તર :- વિવિક્ત અર્થવાળાં સૂત્રો છે તેના અર્થ બતાવવા છે માટે આરંભ અને ઉપસંહાર ભિન્ન રીતે કરવામાં આવ્યો છે. કારણ કે આગમમાં બીજાં દ્રવ્યોથી જુદું છઠ્ઠ કાળદ્રવ્ય